SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મ-સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં પૂ. વિનોબાજી સ્વભાવથી જ સમન્વયવાદી છે. તેમના વિચાર, તેમની દષ્ટિ, તેમનું કાર્ય, તેમની પ્રેરણા સંક્ષેપમાં તેમનું સમગ્ર જીવન સમન્વયપ્રેરિત છે, સર્વમાં સંવાદિતા સાધનારું છે. ઈહલોક અને પરલોક; વિચાર અને આચાર; જ્ઞાન, ભક્તિ અને કર્મ; સાધના અને સેવા; વ્યક્તિ અને સમાજ આદિ સર્વ ક્ષેત્રોમાં તથાકથિત ભેદ અને વિરોધનું નિરસન કરવું અને સમન્વય સ્થાપિત કરવો, તે જ તેમનું જીવનલક્ષ્ય હતું. - વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આજે વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, મનુષ્યની દષ્ટિ વિશાળ બનતી ગઈ છે. આજે કોઈ ધર્માનુયાયી પોતાને જ સર્વશ્રેષ્ઠ માનવાની ભૂલ કરી શકે નહિ, કરવી ન જોઈએ. જો કે આજે ધર્મ સંપ્રદાયોના રૂપમાં વિભાજિત થઈ ગયા છે અને મનુષ્યો વચ્ચેના સંબંધોને જોડવાને બદલે તોડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમ છતાં ધર્મનો ત્યાગ કરી દેવો અથવા દુનિયામાંથી ધર્મમાત્રનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવું તે ન તો સંભવિત છે કે ન તો ઇચ્છનીય. વિનોબાજી માને છે કે ધર્મોએ આપસમાં એકબીજાનો વિરોધ કરવાને બદલે સાથે મળીને જે અધર્મ છેસર્વથા અહિત કરનારું છે તેનો વિરોધ અને તેનો ત્યાગ કરી દેવો જોઈએ. ધર્મનું જે શુભ તત્ત્વ છે, ઊર્ધીકરણ કરનારું તત્ત્વ છે-દરેક ધર્મમાં જે સર્વ સામાન્ય તત્ત્વ છે તેના આધાર પર માનવધર્મનું નિર્માણ કરવું જોઈએ. ધર્મવિચારની મીમાંસાના સંદર્ભમાં જોઈએ તો ગાંધી-વિનોબાના જીવનદર્શનમાંથી એક નવો માનવધર્મ નિર્મિત થઈ રહ્યો છે. તેની વિશેષતા એ છે કે સંન્યાસ અને કર્મયોગ-એ બંને ધર્મનીતિનું સંમિલન એમાં થાય છે. અહિંસાના સાધનથી જીવનની સર્વ સમસ્યાઓનું નિરાકરણ શોધવાની પ્રેરણા આ યુગની સર્વોત્કૃષ્ટ ધર્મપ્રેરણા છે. • વ્યક્તિધારણા, લોકસંગ્રહ અને ચિત્તશુદ્ધિ – આ જીવન વિષયક બુનિયાદી સમસ્યાઓનો ઉકેલ શોધવાનું કામ દરેક ધર્મોએ કર્યું છે. પરંતુ આ ત્રણેનો સમન્વય સાધી શકાય તેવી રીતે શ્રદ્ધા અને વિવેકપૂર્ણ રીતે આચારનું આયોજન થઈ શકે તો જ જીવનયાત્રા સફળ બની શકે. કેવળ રૂઢ ધાર્મિક વિચારો અને ક્રિયાકાંડ અથવા કેવળ બુદ્ધિરૂપ તાર્કિક જીવનશૈલીથી સંઘર્ષનો જ પ્રાદુર્ભાવ થઈ શકે છે. આ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો વિનોબાજીનું ધર્મદર્શન કેવળ રૂઢિગત માન્યતાઓને સમર્થન નથી આપતું અને તે કેવળ બૌદ્ધિક તત્ત્વજ્ઞાનનું તાર્કિક દર્શન પણ નથી. તે એક જીવનસાધના છે, એક વિશેષ ધર્મવિચાર છે. ધર્મ ને સંપ્રદાય વચ્ચેનો તાત્વિક ભેદ પણ તેમણે બતાવ્યો છે. ધારણાત્ ધર્મ: ધર્મનું પાલન કરવા જ આપણે દેહ ધારણ કર્યો છે. અને સંપ્રદાય તે તો પરમ તત્ત્વને પામવાના અનેક માર્ગોમનો એક માર્ગ માત્ર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy