________________
વિવિધા
૫. લમ્બોદર : તે મૂષકવાહન અને ક્રોધાસુરનો નાશ કરનાર છે. ૬. વિકટ : તે મયૂરવાહન તથા કામાસુરને હણનાર છે. ૭. વિઘ્નરાજ : તેમનું વાહન શેષનાગ છે તથા તે મયાસુરના પ્રહર્તા છે. ૮. ધૂમ્રવર્ણ : તે મૂષકવાહન અને અહંતાસુરનો નાશ કરે છે.
અહીં સૂચિત અસૂરો તે મનુષ્યના મનમાં રહેલી મત્સર, મદ, મોહ, લોભ, ક્રોધ, કામ, મમતા તથા અહંતાની વૃત્તિઓ જ છે. આ અંદરના શત્રુઓનો નાશ કરીને ગણેશ ભગવાન સાધનાને નિર્વિન બનાવીને પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે.
ગણેશનાં અનેક વ્રત છે. (એની વિધિ વિસ્તારભર્યો અહીં આપી નથી) એ વરદચતુર્થીવ્રત, એકવીસ દિવસનું ગણપતિનું વ્રત, ગણેશપાર્થિવપૂજનવ્રત, ગણેશચતુર્થીવ્રત, તિલાચતુર્થીવ્રત, સંકષ્ટહર ચતુર્થી વ્રત, વનાયકી ચતુર્થીવ્રત વગેરે વ્રત વધારે પ્રસિદ્ધ છે. કર્મમાર્ગીઓ ગણેશયાત્રા પણ કરે છે. ગણેશમંત્રોનું વ્યવસ્થિત પૂજનહવન વગેરે પણ કરે છે. એકાક્ષરથી માંડીને અનેક અક્ષરોવાળા ગણપતિના મંત્રો પણ જપે છે. સિદ્ધિવિનાયક, સત્યવિનાયક વગેરે તાંત્રિક ઉપાસનાઓ પણ પ્રચલિત છે. આમ ગણપતિની સગુણ ઉપાસના ભારતમાં જ નહિ વિદેશોમાં પણ પ્રચલિત છે. વિશ્વના વિવિધ દેશોમાં ગણપતિની અનેક પ્રકારની પ્રતિમાઓ જોવા મળે છે.
ગાણપતિસંપ્રદાયના મુખ્ય છ પ્રકાર છે :
મહાગણપતિ, હરિદ્રાગણપતિ, ઉચ્છિષટગણપતિ, નવનીતગણપતિ, સ્વર્ણગણપતિ અને સંતાનગણપતિ સંપ્રદાય.
વિવિધ પુરાણો અને ગ્રંથોમાં ગણપતિના વિવિધ અવતારો તથા લીલાઓનાં સુંદર વર્ણનો પણ કરાયેલાં છે. શ્રી ગણેશ શિવ-પાર્વતીના પુત્ર મનાય છે. તેમના જન્મ વિશેની કથા પ્રચલિત છે. જો કે વિભિન્ન પુરાણો અનુસાર તેમાં થોડો તફાવત છે. જેની ચર્ચા લંબાણભયે અહીં શક્ય નથી. ગણપતિના મુખ્ય અવતારો વક્રતુણ્ડ, એકદન્ત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ, ધમકેતુ, મહોત્કટ-વિનાયક તથા મયૂરેશ્વર ગણાય છે.
વેદકાલીન સમયથી ગણેશનું પૂજન-અર્ચન થતું આવ્યું છે. ગણપતિની પૂજા કેવળ ભારતના વિવિધ પ્રાંતોમાં જ પ્રચલિત નથી પરંતુ ચીન, જાપાન, તુર્કસ્તાન, તિબેટ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે અને એ દેશોમંથી તેના સંદર્ભો પણ મળે છે. આમ ગણપતિ એ સૌના આરાધ્ય દેવ છે. પ્રત્યેક શુભ કાર્યમાં એમની આશિષ મળે એ જ પ્રાર્થના સહ અસ્તુ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org