________________
શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ
स निर्गुणः स निरंहकारः स निर्विकः स निराकार आनंदमयः तेजोरूपं अनिर्वाच्यमप्रमेयः पुरातनो गणेशः निगद्यते ।
અર્થાત્ એને કોઈ રૂપ નથી, નામ નથી, અને ગુણ નથી તે નિર્ગુણ, નિરંહકાર, નિર્વિકલ્પ, નિર્વિકાર, નિરાકાર, આનંદરૂપ, તેજોરૂપ, અનિવર્ણનીય અને અપ્રમેય કાલાતીત ગણેશ છે. એ રીતે એકાર, ૐકારરૂપ પરબ્રહ્મ પણ તે જ ગણેશ છે નિર્ગુણ ઉપાસનામાં જ્ઞાન સાધન છે તેથી મોક્ષ સાધ્ય છે. આ સાધનરૂપ જ્ઞાન અને સાધ્યરૂપ મોક્ષ બંનેના સ્વામી શ્રી ગણેશ છે.
ज्ञानर्थवाचको गश्च णश्र निर्वाणवाचकः । तयोरीशं परं ब्रह्म गणेश प्रणमाम्यहम् ।
પરમાત્મા ગણેશ સગુણરૂપમાં પણ પ્રગટ થયા છે. દૈત્યોનો સંહાર કરવા માટે કે વિવિધ પ્રયોજનો માટે તેમણે અવતાર ધારણ કર્યાં છે.
૯
વિશ્વની આધારશક્તિ-અર્થાત્ પ્રાણ-ગણેશ છે. આ આધારશક્તિ વસ્તુભેદથી અસંખ્ય અને વિવિધ છે. તેથી ગણપતિનાં પણ વિવિધ સ્વરૂપો વર્ણવામાં આવ્યા છે. તેનાં નામ, રૂપ, વર્ણ, વસ્ત્ર, આયુધ અને વાહનોનો નિર્દેશ શ્રી તત્ત્વનિધિ' નામના ગ્રંથમાં આપ્યો છે. તે અનુસાર શ્રી ગણેશનાં બાલગણપતિ, શક્તિગણપતિ, સિદ્ધગણપતિ, લક્ષ્મીગણપતિ, સંકષ્ટહરગણપતિ વગેરે નામ આપવામાં આવ્યા છે.
ગણપતિના મૂળ સ્વરૂપને જાણીને એમના સગુણ સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. ગણપતિના સગુણ સ્વરૂપનાં એમના અસ્ત્ર-શસ્ત્ર, અંગરાગ, વસ્ત્રો, દેખાવ વગેરેનાં અનેકવિધ વર્ણનો મળે છે. ઉપાસ્ય ગણેશની મૂર્તિના અલગ અલગ પ્રકાર હોય છે. એનો અર્ચનવિધિ પણ અલગ હોય છે. દ્વિભુજથી માંડીને અગણિત હાથવાળી તથા એકમુખ ગણપતિથી માંડીને દશમુખ ગણપતિની મૂર્તિઓ હોય છે. મૂષકની સાથે સિંહમયૂરનાં વાહનો પણ પૂજાય છે. વિશેષ વસ્તુથી પૂજાવાને કારણે પણ ગણપતિનાં વિવિધ સ્વરૂપો મનાયાં છે.જેમ કે હરિદ્રારગણેશ, દૂર્વા ગણેશ, શમી ગણેશ, સોમગણેશ વગેરે. કામ્યકર્મ અનુસાર સંતાન ગણેશ, વિદ્યાગણેશ વગેરે નામો પણ પ્રચલિત છે.
શ્રી ગણેશજીના અનેક અવતાર હોવા છતાં, તેમના આઠ અવતાર વધારે પ્રસિદ્ધ છે :
૧. વક્રતુણ્ડ : તેમનું વાહન સિંહ છે તથા તે મસ્ત્યાસુરનો નાશ કરે છે. ૨. એકદન્ત : તે મૂષકવાહન અને મદાસૂરનો નાશ કરનાર છે. ૩. મહોદર
: તે મૂષકવાહન, જ્ઞાનદાતા તથા મોહાસુરનો નાશ કરનાર છે. ૪. ગજાનન : તે મૂષખવાહન, સાંખ્યવાદીઓને સિદ્ધિ આપનારા તથા લોભાસુરને હણે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org