SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અણુવ્રત આંદોલનની ઉપાદયતા ૧૫૩ પ્રેરણા આ અણુવ્રત આંદોલન દ્વારા મેળવી શકાય છે. અણુવ્રત આંદોલન મુખ્યત્વે બિનસાંપ્રદાયિક આંદોલન છે. નૈતિક મૂલ્યોની પુનર્થાપના તેનો મુખ્ય ઉદ્દેશ છે. રાગ-દ્વેષ, લોભ અને વૈમનસ્યની નાગચૂડમાંથી મુક્ત થયા વગર મનુષ્ય જીવનની શાંતિ અને સંવાદિતાને પ્રાપ્ત કરી શકે તેમ નથી. તે માટે સાથી વધુ આવશ્યકતા મનને અનુશાસિત કરવાની છે. અણુશસ્ત્રોના આ યુગમાં માનસિક સંતુલન ખૂબ જ અપેક્ષિત છે. તેના અભાવમાં વ્યક્તિનું જીવન મુશ્કેલ બની જાય છે, અને સમાજ માટે પણ અનિષ્ટરૂપ બને છે. આચાર્ય તુલસી જણાવે છે કે અનેક લોકો પૂછે છે કે શાંતિ કેવી રીતે મળે? મન સ્થિર કેવી રીતે થાય ? આ પ્રશ્ન અમુક જ વ્યક્તિઓનો નથી. તે વ્યાપક પ્રશ્ન છે. તેથી તેનું સમાધાન પણ વ્યાપક સ્તરે થાય તે જરૂરી છે. તે માટે જ પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાન સૂચિત નીતિ નિયમોનું પાલન આવશ્યક બને છે. આચાર્ય શ્રી તુલસીના મતાનુસાર પ્રાચીન ભાષામાં જે યોગ છે તેની એક રેખા આજની ભાષામાં મનોવિજ્ઞાન છે. માનસિક વિકાસ બંનેમાં અપેક્ષિત છે. મનને કેન્દ્રિત કર્યા વગર તેનો વિકાસ થઈ શકતો નથી. યોગશાસ્ત્ર માનસિક વિકાસને અતીન્દ્રિય જ્ઞાનની ભૂમિકા સુધી લઈ જાય છે. ધ્યાન અને યોગસાધનાનું લક્ષ્ય કેવળ સારું સ્વાચ્ય, ધ્યાન-યોગની સાધનાની સહજ ઉપલબ્ધિ છે. ચેતનાની જાગૃતિની દિશામાં પ્રેક્ષાધ્યાનની, પદ્ધતિ સર્વાધિક ઉપયોગી સિદ્ધ તી રહી છે. વર્તમાન ભૌતિક જીવન પદ્ધતિની સૌથી મોટી મુશ્કેલી આચાર વિચારનું અસંતુલન છે. પ્રેક્ષાધ્યાનના સીમિત પ્રયોગથી આ સંતુલન સહજ રીતે સાધી શકાય છે. આજનો યુગ સમસ્યાઓ અને તણાવનો યુગ છે. આબાલવૃદ્ધ સૌ તણાવથી ગ્રસ્ત છે. આજના યુગની સૌથી મોટી બિમારી છે. “ટેન્શન'. આ તણાવમાંથી ઉદ્ભવતા બ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવા અનેક રોગોમાંથી પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ આપણને ઉગારે છે. તેથી જ મનને અનુશાસિત કરવાનું સૌને માટે આવશ્યક છે. સહજ અનુશાસિત મન જ આધ્યાત્મિક શક્તિઓને પણ જાગૃત કરે છે. અણુવ્રત શબ્દ જૈન પરંપરામાંથી લેવામાં આવ્યો છે. વ્રત એ સંયમિત જીવન માટેની સાધના છે. મહાવ્રત સંયમની ઉચ્ચતમ સ્થિતિ છે. અણુવ્રતમાં તેનું આંશિક પાલન થાય છે. પૂર્ણ સંયમમાં રહેવું તે કઠિન સાધના છે. તો સંયમરહિતતા અહિત કરનારી છે. બંનેનો મધ્યમ માર્ગ છે – અણુવ્રત. આ પાંચ અણુવ્રત છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અણુવ્રતના નિયમોનું પાલન કરના સંગઠન વ્યક્તિસમૂહ-અણુવ્રતી-સંઘી તરીકે ઓળખાય છે. આ અણુવ્રત આંદોલનનો પ્રજાએ સ્વીકાર કર્યો. તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક છે. દહેજ-વિરોધી અભિયાન, વ્યાપારી સપ્તાહ, મદ્યવિરોધી અને રૂઢિવિરોધી કાર્યક્રમ, મહિલાઓનો ઉત્કર્ષ, વિકલાંગોને સહાય, ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વગેરે સામગ્રી આપવી. અણુવ્રતી વિદ્યાર્થી પરિષદની સ્થાપના-એમ અનેક ઉદેશોની સિદ્ધિ માટે આ અણુવ્રત આંદોલનના કાર્યકર્તાઓ સક્રિય છે. અનેક પ્રદેશોમાં અણુવ્રતસમિતિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy