________________
૧૫૨
વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આચાર્યશ્રી તુલસીપ્રેરિત અણુવ્રત આંદોલનની ઉપાદયતા
અણુવ્રતના અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસી જૈનદર્શનના મહાન અગ્રણી હોવાની સાથે, વાસ્તવિક દૃષ્ટિએ તો એક બિનસાંપ્રદાયિક વિશુદ્ધ માનવધર્મના હિમાયતી હતા. વર્તમાનના સંદર્ભને અનુલક્ષીને અને ભૂતકાળની સંસ્કૃતિનાં મૂલ્યોને જાળવીને ઉજ્જવલ ભવિષ્યના સર્જન માટે પ્રજ્ઞાપૂર્ણ પ્રતિભા અને તટસ્થ દૃષ્ટિકોણથી અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનનો પ્રાયોગિક ત્રિવેણી સંગમ તેમણે રચી આપ્યો છે, ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધીને માનવ ઉત્કર્ષ માટેની તેમની મથામણે ધાર્મિક ક્ષેત્રે જ નહિ, સામાજિક આર્થિક, રાજનૈતિક-વગેરે ક્ષેત્રોમાં પણ નવીન મૂલ્યોની સ્થાપના કરી છે. એ રીતે વ્યક્તિ અને સમષ્ટિનો ઉત્કર્ષ કરવાનો માર્ગ તેમણે દર્શાવ્યો છે.
વિવિધા
જૈનદર્શનની સાથે ભારતીય દર્શનો, ગીતા, ભાગવત, ઉપનિષદ, વેદ, ત્રિપિટક, ધમ્મપદ, બાઇબલ, ગ્રંથસાહેબ, કુરાન વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ધર્મના આચારનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા, પણ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા સમજતા. શ્રમણસંઘના ભિન્ન ભિન્ન સમુદાયો વચ્ચે પ્રવર્તતી વાડાબંધીથી તેઓ સદા અલિપ્ત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિના પ્રાણતત્વ સમાન ધાર્મિક સહિષ્ણુતા અને ઉદારતાને માનવ એકતાની સ્થાપના માટેનું મહત્ત્વનું પરિબળ માનતા હતા.
અણુવ્રત, આંદોલન, પ્રેક્ષાધ્યાન અને જીવવિજ્ઞાન જેવા માનવ ઉપયોગી અભિયાન દ્વારા દેશ અને દુનિયાના જનસમુદાયને શાંતિ અને સહઅસ્તિત્વની ભાવનાનો સંદેશ આપ્યો છે.
આચાર્ય શ્રી તુલસી જાગૃત ધર્માચાર્ય હોવાની સાથે તેમણે વ્યક્તિ અને સમષ્ટિના ઉત્કર્ષ માટે અણુવ્રત આંદોલન દ્વારા મોટા પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરી હતી. વ્યક્તિ અને સમૂહના પરિવર્તન દ્વારા વર્તમાન સમાજમાં નવી શાંતિપૂર્ણ ચેતના પ્રગટાવવા તેમણે જીવનવિજ્ઞાન અને પ્રેક્ષાધ્યાનની પદ્ધતિનાં કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું. માનવીય મૂલ્યોના સ્થાપનાનાં સંદર્ભમાં બાલવિકાસ, મહિલા-ઉત્કર્ષ અને ગ્રામોદ્વાર જેવા અનેક વિકાસલક્ષી કાર્યો માટે સુદ્દઢ ભૂમિકા તૈયાર કરી આપી છે.
અણુવ્રતનો શાબ્દિક અર્થ છે, અણુ એટલે જેમાં બહુ મોટા વિધિવિધાનો કે અતિ કઠિન તપશ્ચર્યા નથી - તેવાં સામાન્ય વ્રતો, તેનો તાત્પર્યાર્થ છે માનવધર્મ, બિનસાંપ્રદાયિકતા, માનવીય મૂલ્યોનો સ્વીકાર, અને સ્વચ્છ જીવન માટેની ન્યૂનતમ આચારસંહિતાનું પાલન. આચાર્ય તુલસીજીએ યોગ્ય જ કહ્યું છે કે જો અણુવ્રત જેવો કોઈ ઉપક્રમ આપણી સમક્ષ નહિ હોય તો પારલૌકિક હિત કે મોક્ષ તો દુર્લભ જ રહેશે, પરંતુ વર્તમાન જીવન પણ જટિલ અને સંઘર્ષભર્યું બની જશે.
આચાર્ય શ્રી તુલસીનું અણુવ્રત આંદોલન વર્તમાન સમયની એક અનિવાર્યતા છે. પ્રત્યેક વ્યક્તિમાં અનુશાસન, સહિષ્ણુતા, ઇમાનદારી અને રાષ્ટ્રદાયિત્વની ભાવનાના પૂર્ણવિકાસની તથા વ્યક્તિત્વના ઉત્કર્ષ દ્વારા સમા અથવા રાષ્ટ્રને પ્રગતિશીલ બનાવવાની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org