SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ પીપલ તણું જિમ પાંડું, ચંચલ જિમ ગજ-કાન ધન-યૌવન-કાયા અસી, મ કરો મન અભિમાન. આ પ્રકારની પંક્તિઓ વેધક અને સૂત્રાત્મક બની છે. કવિએ હાસ્ય વર અને કરુણરસના આલેખનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પરંતુ લગ્નની વિધિ દ્વારા જ વીતરાગોને ઉદ્બોધનાર આ કવિનું લક્ષ્ય ભક્તિબોધક શાંત ઉપશમના નિરૂપણનું જ છે. આ દૃષ્ટિએ જોઈએ તે સિદ્ધરાજના મૃત્યુપ્રસંગને વર્ણવતું ગીત કવિની ઉત્તમ કાવ્યકૃતિ છે. કરુણરસના નિરૂપણમાં દેખાતું કવિનું કાવ્યકૌશળ, મૃત્યુની સાથે જ જીવનની ક્ષણભંગુરતાનું પ્રગટ થતું ગૂઢ રહસ્ય અને અત્યંત કાવ્યાત્મક રીતે અંતમાં પ્રગટતા શાંત ઉપશમના ભાવને કારણે પ્રસ્તુત કાવ્ય ઋષભદાસની એક વિશિષ્ટ અને નોંધપાત્ર સર્જકકૃતિ બની રહે છે. આખું કાવ્ય હૃદયને આરપાર વીંધે તેવું છે. ચિંતામાં ભડભડ બળતા જેસંગના દેહને અનુલક્ષીને કવિ કહે છે : સોનાવરણી ચેહ બળે રે, રૂપાવરણી તે હ રે, કુંકુમવરણી રે દેહડી, અગન પરજાલી તેહ રે. જે ન૨ ગંજી રે બોલતા, વાવરતા મુખમાં પાન રે, તે નર અન રે પોઢિઆ કાયા કાજલવાન રે. ચંપકવરણી રે દેહડી, કદલીકોમલ જાંઘ રે, તે નર સૂતા રે કાષ્ઠમાં, પડે ભડોભડી ડાંગ રે. દેવિડંબણ નર સૂણી, મ કરિસ તૃષ્ણા તું લાખ રે, જેસંગ સરિખો રે રાજઓ, બાલી કર્યો તિહાં રાખ રે. ૧૫૧ જીવનની આવી ક્ષણભંગુરતાને જ અનુલક્ષીને કવિ ધર્મવિચાર અને રાગત્યાગનો બોધ વારંવાર આપે છે હૃદયને તરત સ્પર્શી જાય તેવો એક સુંદર બોધક પ્રસંગ કવિએ ‘ભરતેશ્વર બાહુબલી' રાસ'માં નિરૂપ્યો છે. ભરત પોતાના ૯૮ ભાઈઓને બોલાવવા દૂતો મોકલે છે. એ ૯૮ ભાઈઓ ભેગા થઈને જિનને પૂછે છે, ‘રાજ્ય લિએ ભરતેશ્વરુ, નમિએ કે વઢિયે તાત?' રાજ્ય માટે ભરત સાથે યુદ્ધ કરીએ કે સમાધાન ? ત્યારે ઋષભ સંક્ષેપમાં, પણ ચિત્તવેધી જવાબ આપે છે : ઋષભ કહે વઢિયે સહી રે, મોહકષાયની સાથ, રાગ દ્વેષ અ૨િ જિતિયે રે, નમિ ધર્મ સંગાથ. આપણે જોઈ શકીએ છીએ કે આવી બોધક પંક્તિ પણ કાવ્યત્વથી રસાઈને આવે છે અને ચિત્તને સ્પર્શી જાય છે. તેમનાં ગીતોના નાના પદબંધ અને લય મનોહારી છે. તેમના રાસાઓમાં વારંવાર આવાતં ગીતો ઋષભદાસની ગીતકવિ તરીકેની પ્રતિભાનો પણ પરિચય કરાવી આપે છે. તેમની દેશીઓમાં પણ રાગ અને લયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. વિધવિધ રાગનાં પદો પરનું પ્રભુત્વ, સચોટ અને સમુચિત ઉપમા, દૃષ્ટાન્ત કે રૂપકાદિ અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા, ઊર્મિરસિત ચિંતન અને લયભરી બાની ઋષભદાસને સફળ કવિ તરીકેનું સ્થાન અપાવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy