________________
આચાર્ય ભદ્રબાહુફત આવશ્યક નિર્યુક્તિ
૧૩૯
- “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા કરતાં જણાય છે કે જે કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા અભિપ્રાય તપ અને કર્મક્ષય-તેમાં સિદ્ધ અર્થાત સુપરિનિષ્ઠિત અને પરિપૂર્ણ છે તે સિદ્ધ છે. અભિપ્રાય, કર્મક્ષય વગેરેની વિસ્તૃત વ્યાખ્યાઓ પણ તેની અંતર્ગત કરી છે. તેની સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાપ્રમાણ, સિદ્ધશિલાસ્વરૂપ, સિદ્ધાવગાહના, સિદ્ધસ્પર્શના, સિદ્ધલક્ષણ, સિદ્ધસુખ વગેરે વિશે પણ માહિતી આપી
આચાર્ય શબ્દનો અર્થ આપતાં જણાવે છે કે, જે જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્ય આ પાંચ પ્રકારના આચારોનું સ્વયં આચરણ કરે છે, અન્ય સમક્ષ તેનું પ્રરૂપણ કરે છે અને પોતાના આચાર દ્વારા જ અન્યને તેનો પરિચય કરાવે છે તે ભાવાચાર્ય છે -
पंचविहं आयारं आयरमाणा तहा पभासंता । आयारं संता आयरिया तेण वुच्चंति ॥९९४॥ आयारो नाणाई तस्सायरणा पभासणाओ वा । जे ते भावायरिया भावायारोवउत्ता य ॥९९५।।
જે દ્વાદશાંગનું સ્વયં અધ્યયન કરે છે અને બીજાને વાચનારૂપે ઉપદેશ પણ આપે છે તે ઉપાધ્યાય છે. ઉપાધ્યાય શબ્દનો વ્યુત્પત્તિમૂલક અર્થ પણ તેમાં આપ્યો છે તથા જે નિર્વાણ સાધક વ્યાપારની સાધના કરે છે, તેને સાધુ કહે છે અથવા જે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે તે સાધુ છે
निव्वाणसाहए जोए, जम्हा साहंति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥१००२॥
આ પાંચ નમસ્કાર સર્વ મંગલોમાં પ્રથમ અર્થાત્ સર્વશ્રેષ્ઠ મંગલ છે. ત્યારબાદ આક્ષેપઢાર, પ્રયોજનદ્વાર તથા ફલદ્વારમાં નમસ્કારની વિધિ, નમસ્કારનો ઉદ્દેશ્ય અને ઈહલોક કે પારલૌકિક ફળપ્રાપ્તિ વિશે વિશદ નિરૂપણ કર્યું છે.
પંચનમસ્કાર પછી સામાયિકવ્રત ગ્રહણ કરવામાં આવે છે. તે નિમિત્તે સામાયિક શબ્દની વ્યાખ્યા તથા કારણ અને કારણનો ભેદ, કર્મ આત્માનું કર્તુત્વ વગેરે વિશે સમગ્રલક્ષી સમીક્ષા કરી છે.
આચાર્ય ભદ્રબાહુએ સામાયિકનો અર્થ આપતાં જણાવ્યું છે કે સામાયિકનો અર્થ છે ત્રણ કરણ અને ત્રણ યોગથી સાવદ્ય ક્રિયાનો ત્યાગ.
ત્રણ કરણ અર્થાત્ કરવું, કરાવવું અને કરનારનું અનુમોદન કરવું. ત્રણ યોગ અર્થાત્ મન, વચન અને કાયા તેનાથી થનારી સાવદ્ય ક્રિયાઓનો ત્યાગ કરવો. ચતુર્વિશતિસ્તવ
આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન ચોવીસ તીર્થકરોની સ્તુતિનું છે. આરંભમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org