SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વિવિધા ઋષભદેવની સ્મૃતિમાં ધર્મચક્રની સ્થાપના કરી હતી. ભગવાન ઋષભદેવના નિર્વાણના પ્રસંગનું વિગતવાર વર્ણન આપ્યા પછી નિર્યુક્તિકાર અનેક ભવાટીઓને પાર કરીને મરીચિ અંતમાં બ્રાહ્મણકુડુગ્રામમાં કોડાલસગોત્ર બ્રાહ્મણના ઘરમાં દેવાનંદાની કુક્ષમાં પ્રવેશ કરે છે – તે ઘટનાના નિરૂપણ સાથે મહાવીર સ્વામીના જીવનચરિત્રનો આરંભ કરે છે. તેમના જીવન સાથે સંબંધ રાખનારી આ તેર ઘટનાઓનો પરિચય આ નિર્યુક્તિમાં મળે છે : સ્વપ્ન, ગર્ભાપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, જાતિસ્મરણ જ્ઞાન, ભવોત્પાદન, વિવાહ, અપત્ય, દાન, સંબોધ અને મહાભિનિષ્ક્રમણ, મહાવીર સ્વામીના ૧૧ ગણધરો. તેમનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત પણ અહીં આલેખાયું છે. ક્ષેત્ર, કાલ, પુરુષ, કારણ, પ્રત્યય અર્થાત્ શ્રદ્ધાદ્ધાર લક્ષણદ્વાર અને નયદ્વાર વગેરે દ્વારોના ઉપદેશના સંદર્ભમાં જૈનદર્શનના તાત્વિક સિદ્ધાંતો સમજાવ્યા છે. નયદ્વારમાં સાત મૂળ નયનાં નામ અને લક્ષણ પણ વિસ્તારથી નિરૂપ્યાં છે. આર્યરક્ષિત અને તેમના ચાર અનુયોગ તથા સાત નિહ્નો પરિચય પણ અહીં મળે છે. ઉપોદ્ધાતના અંતમાં અનુમત દ્વારનું વ્યાખ્યાન કરતાં આચાર્યએ સામાયિકના ત્રણ ભેદ : સમ્યક્તવ, શ્રુત અને ચારિત્રનું વર્ણન કર્યું છે. જૈનદર્શનના આચાર-વિચારના વિસ્તૃત વિશ્લેષણ સાથે ઉપોદ્દાતનિયુક્તિ સમાપ્ત થાય છે. નમસ્કાર સામાયિકસૂત્રના પ્રારંભમાં નમસ્કાર મંત્ર આવે છે, તેથી નમસ્કારની નિર્યુક્તિના રૂપમાં આચાર્ય ઉત્પત્તિ, નિપદ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આક્ષેપ, પ્રસિદ્ધિ, ક્રમ, પ્રયોજન અને ફળ-આ અગિયાર દ્વારોથી નમસ્કારમંત્રની વિવેચના કરે છે. જયાં સુધી નમસ્કારની ઉત્પત્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી કહી શકાય કે તે ઉત્પન્ન પણ છે અને અનુત્પગ પણ છે. તે નિત્ય અને અનિત્ય પણ છે. નમસ્કારમાં ચાર પ્રકારના નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પદના પાંચ પ્રકાર છે : નામિક, નૈપાતિક, ઔપસર્ગિ, આખ્યાતિક અને મિશ્ર. “નમસ' પદ નિપાતસિદ્ધ હોવાથી નૈપાતિક છે. તેનો અર્થ દ્રવ્યસંકોચ અને ભાવસંકોચ છે. પ્રરૂપણાના બે, ચાર, પાંચ, છ અને નવ ભેદ અલગ અલગ રીતે થઈ શકે છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચ નમસ્કાર યોગ્ય છે, તેથી તેની ચર્ચા વસ્તુઢારમાં કરી છે. અરિહંત આદિ પંચ પરમેષ્ઠીનું નિયુક્તિકારે બહુ વિસ્તારથી સતુતિગાન કર્યું છે. તેમનાં લક્ષણાદિનો સવિસ્તર પરિચય આપ્યો છે. અરિહંત શબ્દનો અર્થ સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું છે કે ઈન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ વગેરે આંતરિક અરિ અર્થાત્ શત્રુનું હનન કરે છે તે અરિહંત છે. અન્ય પ્રકારે પણ તેના અર્થ સમજાવ્યા છે रागबोसकसाए, इंदिआणि अ पंचवि । परीसहे उवस्सग्गे, नामपतां नमोऽरिहा ॥९१८॥ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy