________________
આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ
૧૩૭
મોક્ષને માટે જ્ઞાન અને ચારિત્ર બંને અનિવાર્ય છે. તેમના સંતુલિત સમન્વયથી જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જેવી રીતે ચંદનનો ભાર ઊંચકી જનાર ગધેડું ભાર ઊંચકે છે પણ શીતળતા, સુવાસ આદિ ચંદનના ગુણોને ગ્રહણ કરતું નથી. તેવી રીતે ચારિત્રરહિત જ્ઞાની કેવળ જ્ઞાનનો જ ભાગીદાર બને છે, સગતિનો નહિ. ક્રિયારહિત જ્ઞાન અને અજ્ઞાનીની ક્રિયાને વ્યર્થ જ સમજવાં. જંગલમાં આગ લાગે ત્યારે ચૂપચાપ ઊભા ઊભા આગને જોયા કરનાર પંગુ મનુષ્ય અને આમતેમ દોડતો અંધજન-બંને આગમાં ભસ્મીભૂત થાય છે. બંનેના સંયોગથી સિદ્ધિ મળે છે. એક પૈડાથી રથ ચાલી શક્તો નથી. અંધજન અને પંગુમનુષ્ય સાથે મળીને નગરમાં પ્રવેશે છે.
અહીં જ્ઞાનદર્શનની દુર્બોધ વાતને નિર્યુક્તિકારે સમુચિત દૃષ્ટાન્ત દ્વારા સહજમાં સમજાવી છે.
પુનઃ સામાયિકની ચર્ચા કરતાં સામાયિક માટે અધિકારી વ્યક્તિના ગુણ, તેનો ક્રમશઃ થતો વિકાસ, તેનાં કર્મોનો ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમ, કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ વગેરેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. જે સામાયિક શ્રુતના અધિકારી છે તે જ ક્રમશઃ વિકાસ કરીને ભવિષ્યમાં તીર્થકરરૂપે ઉત્પન્ન થાય ચે અને પોતાના સમયના પ્રથમ શ્રુતનો ઉપદેશ આપે છે. આ મૃતોપદેશને જિન-પ્રવચન પણ કહે છે તેવું જણાવીને નિર્યુક્તિકારે પ્રવચનશબ્દના પર્યાય, સૂત્ર-તંત્ર આદિ એકાર્થક શબ્દો, અનુયોગ આદિ પર્યાયવાચી શબ્દો અને ભાષા વિભાષા તથા વાર્તિકના ભેદ સ્પષ્ટ કર્યા છે. સામાયિકના વ્યાખ્યાનનો પ્રારંભ કરતા પહેલાં વ્યાખ્યાનની વિધિરૂપ-ઉદ્દેશ અર્થાત વિષયનું સામાન્ય કથન, નિર્દેશ અર્થાત્ વિષયનું વિશેષ કથન, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ વગેરે ૨૬ વાતોનો નિર્દેશ કરે છે.
નિર્ગમની ચર્ચા કરતાં કરતાં મહાવીર સ્વામીનો મિથ્યાત્વ વગેરેથી કેવી રીતે નિર્ગમ થયો તેની રજૂઆત નિર્યુક્તિકાર કરે છે અને તેના ઉત્તરમાં મહાવીર સ્વામીના પૂર્વભવની કથા કહે છે. તેમના પ્રત્યેક પૂર્વભવ, જન્મ, નામ-શરીર પ્રમાણ, સંહનન, વર્ણ, સ્ત્રીઓ, આયુ, વિભાગ, ભવનપ્રાપ્તિ, નીતિ-વગેરે વિશે સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે અને પ્રથમ તીર્થકર ઋષભદેવના પૂર્વભવો અને તીર્થકર નામકર્મ બાંધવાનાં વીસ કારણો આપ્યાં છે.
ઋષભદેવના જીવન સાથે સંબંધિત-જન્મ, નામ, વૃદ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, વિવાહ, અપત્ય, અભિષેક, રાજયસંગ્રહ વગેરે ઘટનાઓનું પણ નિરૂપણ થયું છે. તે સાથે તત્કાલીન આહાર, શિલ્પ, કર્મ, અલંકાર, ગણિત, વ્યવહારનીતિ, યુદ્ધ, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, વિવાહ પદ્ધતિ આદિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ઋષભદેવના જીવનચરિત્રની સાથે સાથે અન્ય તીર્થકરોનાં જીવનચરિત્રોનો પણ સંકેત કરવામાં આવ્યો છે. ભરતબાહુબલીના યુદ્ધ સમયે બાહુબલીને અધર્મ-યુદ્ધ પ્રતિ કેવી રીતે વૈરાગ્ય આવ્યો તેનું નિર્યુક્તિકારે વર્ણન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે બાહુબલિએ ભગવાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org