SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ વિવિધા અગમિક અને અંગબાહ્ય . તે જ પ્રમાણે અવધિજ્ઞાનના પ્રકારો પણ અસંખ્ય છે. તેમ છતાં તેના મુખ્ય બે ભેદ ગણી શકાય. ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. તેના ચૌદ નિક્ષેપ નિર્યુક્તિકારે બતાવ્યા છે. તેમ છતાં નામ, સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, કામ, ભવ અને ભાવ એ સાત નિક્ષેપો દ્વારા પણ અવધિજ્ઞાનની ચર્ચા થઈ શકે છે તેવો સંકેત પણ કર્યો છે. ત્યારબાદ મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન વિશે તેમણે કહ્યું છે કે મન દ્વારા ચિન્તિત અર્થનું માત્ર આત્મસાપેક્ષ જ્ઞાન મનઃપર્યાયજ્ઞાન છે, તે મનુષ્યક્ષેત્ર સુધી જ સીમિત છે, ગુણપ્રાત્યધિક છે તથા ચારિત્ર્યવાનોની સંપત્તિ છે. તથા સર્વ દ્રવ્ય અને તેમના સમગ્ર પર્યાયોનું સર્વકાલભાવી તથા અપ્રતિપાતી જ્ઞાન કેવળજ્ઞાન છે. તેમાં કોઈ પ્રકારે વિભિન્નતાઓ હોતી નથી તેનો એક જ પ્રકાર છે. ત્યારબાદ દ્રવ્યશ્રત અને ભાવકૃત વિશે નિર્દેશ કરીને, પૂર્વભૂમિકા રચીને, સર્વ તીર્થકરો અને વિશેષરૂપે મહાવીર સ્વામીને નમસ્કાર કરે છે. મહાવીરસ્વામી પછી ગણધર અને તેમના શિષ્ય-પ્રશિષ્ય વગેરેને નમસ્કાર કરીને આવશ્યકાદિ દસ સૂત્રગ્રંથોનો આધાર લઈને નિર્યુક્તિ રચવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. અહીં આવશ્યકનિર્યુક્તિ પ્રથમ રચવાનો તેમનો આશય પણ વ્યક્ત થાય છે. તેમાં પણ ગુરુપરંપરાને કારણે ઉપદષ્ટિ હોવાથી સામયિકનિયુક્તિની રચના પ્રથમ કરવાનું પ્રયોજન વર્ણવે છે. આચાર્ય ભદ્રબાહુ સામાયિકને સંપૂર્ણ શ્રુતિમાં પ્રથમ મૂકે છે. કારણ કે ચારિત્રનો પ્રારંભ જ સામયિકથી થાય છે. ચારિત્રની પાંચ ભૂમિકાઓમાં પ્રથમ ભૂમિકા સામાયિક ચારિત્રની છે. તેથી જ નિર્યુક્તિકારે કહ્યું છે – सामाइयमाईयं सुयनाणं जाव बिन्दुसाराओ । तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाणं ॥१६॥ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ અર્થાત્ મોક્ષ છે, અને તે જ અંતિમ લક્ષ્ય છે. અહીં સામાયિકના સંદર્ભમાં આચાર્યે બહુ કુશળતાપૂર્વક સદૃષ્ટાન્ત જ્ઞાન અને ચારિત્રના પરસ્પર સંબંધોની ચર્ચા કરી છે. કેવળ જ્ઞાન અથવા કેવળ ક્રિયા એકાંગી રીતે સંપૂર્ણ નથી. આ ગહન તથ્ય સચોટ દષ્ટાન્ત દ્વારા તેમણે આ રીતે નિરૂપ્યું છે : जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स ।। एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी सहु सोंग्गिईए ।।१००॥ हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दट्ठो, धावमाणो अ अंधओ ॥१०१॥ संजोगसिद्धीइ फलं वयंति, नहु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिज्वा, ते संपउता नगरं पविट्ठा ।।१०२॥ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy