________________
આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ
૧૩૫
અને ભટ્ટારક જ્ઞાનસાગરસૂરિએ મૂળ ગાથાઓની સંખ્યા ૧૬૩૭ બતાવી છે. " નિર્યુક્તિની ગાથાઓ મુખ્યત્વે આર્યા છંદમાં લખવામાં આવી છે, કેટલીક ગાથાઓ અનુછુપમાં પણ છે. વિષયવસ્તુ :
ઉપોદ્યાત
આવશ્યકનિયુક્તિનો પ્રારંભ ગ્રંથની પાર્શ્વભૂમિકારૂપે ઉપોદ્ઘાતથી થાય છે. તેમાં ૮૮૦ ગાથાઓ છે.
તેની પ્રથમ ગાથામાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : आभिणिबोहियनाणं सुयनाणं चेव ओहिनाणं च । तह मणपज्जवनाणं केवलनाणं च पंचमयं ॥१॥
આભિનિબોધિક, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. આ પંચ પ્રકારનું જ્ઞાન મંગલરૂપ છે, તેથી આ ગાથા દ્વારા જ મંગલગાથાનું પ્રયોજન પણ સિદ્ધ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જ્ઞાનના વિશેષ પેટાપ્રકારો અને વિશેષતાઓનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે.
આભિનિબોધક જ્ઞાનના સંદર્ભમાં ચાર પ્રકાર આપ્યા છે : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. તેમના કાળપ્રમાણનો પણ નિર્દેશ થયો છે.
આભિનિબોધક જ્ઞાનના સંદર્ભમાં શબ્દ અને ભાષાના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. જ્ઞાનના નિમિત્તભૂત પાંચ ઈન્દ્રિયો શબ્દ, રૂપ આદિ વિષયોનું કેવી રીતે ગ્રહણ કરે છે તેનું નિરૂપણ છે. આભિનિબોધિક જ્ઞાનના પર્યાય આ પ્રમાણે દર્શાવ્યા છે. ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞા. ત્યારબાદ સત્પદપ્રરૂપણામાં ગતિ, ઈન્દ્રિય,કાય, યોગ, વેદ, કથા, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયમ, ઉપયોગ, આહાર, ભાષક, પરીત્ત, પર્યાપ્તક, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ અને ચરમ – આ સર્વ દ્વાર કે દૃષ્ટિઓ દ્વારા તેની ચર્ચા થઈ શકે છે, તેવો સંકેત કર્યો છે.
શ્રુતજ્ઞાનની ચર્ચા કરતાં આચાર્યશ્રીએ તેના પ્રકાર વૈવિધ્યને સચોટ દષ્ટાંત દ્વારા વર્ણવતાં જણાવ્યું છે કે લોકમાં જેટલા અક્ષર છે અને તેનાં જેટલાં સંયુક્ત રૂપ બની શકે છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદ સંભવ છે.
पत्तेयमक्खरई, अक्खरसंजोग जत्तिआ लोए। एवइया पयडीओ, सुयनाणे हुंति णायव्या ॥१७॥
શ્રુતજ્ઞાનના સર્વ પ્રકારનું વર્ણન અસંભવ હોવાનું નિર્દેશીને નિર્યુક્તિકારે તેના ચૌદ પ્રકારના નિક્ષેપ આ રીતે બતાવ્યા છે : અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિક, સપર્યવસતિ, ગમિક, અંગપ્રવિષ્ટ, અનક્ષર, અસંશી, મિથ્યા, અનાદિક, અપર્યવસિત,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org