________________
૧૪૦
વિવિધા
આચાર્યો તેના નિક્ષેપની વાત કરી છે. “ચતુર્વિશતિ' શબ્દના છ પ્રકારના નિક્ષેપ આ પ્રમાણે છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. “સ્તવ' શબ્દના ચાર પ્રકારના નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
અહીં આચાર્ય આવશ્યકસૂત્રમાં આવતા લોગસ્સજજોયગરે પાઠમાંના “લોક વગેરે શબ્દોની વિવિધ પ્રકારે ચર્ચા કરી છે. તેમાં તીર્થની વ્યાખ્યા આપતાં તેમણે જણાવ્યું છે કે “જ્યાં અનેક જન્મોથી સંચિત અષ્ટવિધ કમરજને તપ અને સંયમથી વિશુદ્ધ કરી શકાય છે, તે ભાવતીર્થ છે -
अट्ठविहं कम्मरयं बुहएहि भवेहिं संचिअं जम्हा । तवसंजमेण धुव्वइ तम्हा तं भावओ तित्थं ॥१०६८॥
જિનવર અથવા તીર્થંકર આ પ્રમાણે ધર્મતીર્થની સ્થાપના કરે છે : તેમને જિન” એટલા માટે કહે છે કે તેમણે ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષો પર વિજય મેળવેલા હોય છે. કર્મરજરૂપી અરિનો નાશ કરવાને કારણે તેમને “અરિહંત' પણ કહે છે. -
जियकोहमाणमाया जियलाहा तेण ते जिणा हुंति । अरिणो हंता रयं हंता अरिहंता तेण वुच्चंति ॥१०७६॥
વંદન
તૃતીય અધ્યયનનું નામ વંદના છે. આ અધ્યયનક્રમના આરંભમાં આચાર્યએ જણાવ્યું છે કે વન્દનાકર્મ, ચિતિકર્મ કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ-આ પાંચ સામાન્ય રીતે વંદનના પર્યાય છે. તેમણે નવ દ્વારોથી વંદન વિશે ચર્ચા કરી છે : ૧. વંદના કોને કરવી જોઈએ, ૨. કોના દ્વારા થવી જોઈએ, ૩. ક્યારે કરવી, ૪. કેટલીક વાર કરવી, ૫. વંદન કરતી વખતે કેટલી વાર નમવું જોઈએ, ૬, કેટલી વાર મસ્તક નમાવવું જોઈએ, ૭. કેટલા આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, ૮. કેટલા દોષોમાંથી મુક્ત થવું જોઈએ, અને ૯. વંદના શા માટે કરવી જોઈએ.
આ ચર્ચાના નિષ્કર્ષરૂપે તે જણાવે છે કે હંમેશા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય વગેરેની સાધના જે કરે છે તે જ વંદનીય છે અને વંદન કરનાર પંચમહાવ્રતી, આલસ્યરહિત, માનાપમાનથી રહિત, સંવિગ્ન અને નિર્જરાર્થી હોય છે.
एगनिक्खमणं चेव, पणवीसं वियाहिया । आवस्सगेहिं पिरसुद्धं, किइकम्मं जेहि कीरई ॥१२०४॥ किरकम्मपि करितो न होई किइकम्मज्जिराभागी।
पणवीसामन्नयरं साहू ढाणं विरार्हितो ॥१२०५॥ પ્રતિક્રમણ.
પ્રતિક્રમણનો ત્રણ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે : (૧) પ્રતિક્રમણરૂપ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org