________________
૧૩૨
વિવિધા
જેવી રીતે ગતિ, સ્થિતિ અને અવગાહનમાં નિમિત્તરૂપ ક્રમશઃ ધર્મ, અધર્મ અને આકાશ છે, તેમ સર્વ દ્રવ્યોને પરિણમન થવામાં વર્તના કારણરૂપ છે.
નિશ્ચય નય પ્રમાણે કાલ અણુરૂપ છે, સ્કંધ જેવું સમૂહાત્મ અથવા આકાશ કે ધર્મ-અધર્મ જેવું અખંડ દ્રવ્ય નથી, ખંડ ખંડ અણુરૂપ છે. રેતના કણોની જેમ સ્વત્વ ગુમાવ્યા સિવાય સાથે રહી શકે છે.
કાલ સિવાનાં પાંચ દ્રવ્યોને “અસ્તિકાય’ કહે છે, આ દ્રવ્યો “છે' તેથી તેમને “અસ્તિ' એવી સંજ્ઞા આપી અને તે કાયની જેમ બહુ પ્રદેશોવાળા હોવાથી તેમને “કાય' ની સંજ્ઞા પણ આપવામાં આવી આ પ્રમાણે “અસ્તિ” અને “કાય” બંને હોવાથી આ પાંચ દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય છે. પણ “કાલ' દ્રવ્યનું અસ્તિત્વ હોવા છતાં, “અસ્તિ' હોવા છતાં તેનો એક જ પ્રદેશ છે, કાયની જેમ તેના બહુપ્રદેશ નથી, તેથી તેને “અસ્તિકાય' ની સંજ્ઞા આપવામાં આવી નથી.
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે.
મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો “ચરણકરણાનુયોગ વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ' વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે.
દ્રવ્યાનુયોગ વિષેનું નિરુપણ તત્ત્વાર્થસૂત્ર, ષટખંડાગમ, સમયસાર, પંચાસ્તિકાય વગેરે ગ્રંથોમાં જોવા મળે છે.
કરુણાનુયોગ - એમાં એવા ગ્રંથોનો સમાવેશ થાય છે કે જેમાં ઊર્ધા, મધ્ય અથવા અધોલોકનું, દ્વીપસાગરો, ક્ષેત્ર, પર્વતો અથવા નદીઓ વગેરેના સ્વરૂપ – પરિણામ, વિસ્તારથી અથવા ગણિતની પ્રક્રિયાના આધાર પર વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપપપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ વગેરે તે વિશેના ગ્રંથો છે.
ચરણાનુયોગ - જેમાં આચાર ધર્મનું નિરુપણ હોય તેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. આચારાંગ, ઉપાસક દશાંગસૂત્ર, પ્રવચનસાર, પાહુડ, ચરિત્ર પાહુડ, રત્નસાર, મૂલાચાર વગેરે.
પ્રથમાનુયોગ : આ અનુયોગ વિષયક સાહિત્યમાં અહત, ચક્રવર્તી વગેરે મહાપુરુષોના જીવનચરિત્રનું વર્ણન હોય છે. તે જૈન કથા સાહિત્યનો આદિ સ્ત્રોત મનાય છે. તીર્થંકરચરિત્ર, ચઉપન્ન મહાપુરુષચરિય આદિ ચરિત્રવિષયક ગ્રંથો તથા કહાવલિ અથવા ઉપદેશમાલા આદિ કથાસંગ્રહોનો સમાવેશ આ પ્રકારના સાહિત્યમાંથી મળે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org