________________
ચાર યોગ
૧૩૧
૩. અધર્મ :
સ્થાનત્વ (સ્થિરતા) ઇચ્છતા પુદ્ગલ અને જીવોને સ્થિર બનવામાં જે સહકારી થાય છે તે અધર્મદ્રવ્ય છે.
જીવ અને પુદ્ગલ જ્યારે પોતાની ગતિને અટકાવીને રોકાવાની ઇચ્છા કરે છે અત્યારે તેમને માટે સર્વસામાન્ય એવું સહકારીકરણ જે દ્રવ્ય છે તે અધર્મદ્રવ્ય છે.
જીવ અને પુદ્ગલ પોતાની ગતિશીલ અવસ્થામાં રહેવા ઇચ્છતા હોય, તેમને રોકાવાની ઇચ્છા ન હોય તો અધર્મદ્રવ્ય તેમને બળપૂર્વક રોતું નથી. વૃક્ષની છાયા ગ્રીષ્મકાળમાં રસ્તેથી પસાર થતા વટેમાર્ગુને રાકાવા માટે સહાયકારી બને છે પણ સ્વયં પ્રેરણા કરીને તેમને રોકતી નથી. તેવી રીતે ધર્મશાળા યાત્રીઓ માટે અને રેલ્વે સ્ટેશન રેલગાડીને સ્થિર થવા માટે, રોકાવા માટે સહકારી કારણ છે, પણ તે અપ્રેરક સહકારી કારણ છે.
૪. આકાશ :
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળને અવકાશ આપવામાં જે દ્રવ્ય સમર્થ છે તે આકાશદ્રવ્ય છે, તેના બે ભાગ છે. લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવ-અજીવ સર્વ દ્રવ્યો અવેલાં છે.
જેટલા આકાશમાં ધર્મ, અધર્મ, કાળ, પુગલ અને જીવ દ્રવ્ય હોય છે. તેટલા આકાશને લોકાકાશ કહે છે અને તેની આગળના અનન્ત આકાશને અલોકાકાશ કહે
જ્યાં જીવાદિ પદાર્થ અલોક્તિ થાય છે, અર્થાત જોવાય છે તે લોક છે, અને જ્યાં જીવાદિ પદાર્થ ઉપલબ્ધ નથી હોતા, કેવળ આકાશ જ છે, તે અલોક છે.
૫. કાળ :કાળદ્રવ્યના બે પ્રકાર છે : એક વ્યવહારકાળ અને બીજો પર્યાયકાળ.
જે સમય કલાક, દિવસ, માસ, વર્ષ આદિરૂપ છે અને દ્રવ્યના પરિવર્તનમાં સહાયરૂપ છે તે વ્યવહારદષ્ટિએ કાળ છે.
દ્રવ્યમાં ‘નવિનતા-જીર્ણતા' એ રૂ૫ પરિવર્તન છે. ગોદોહ, પાક આદિ ક્રિયા છે.
જયેષ્ઠત્વ, કનિષ્ટત્વરૂપ, પરત્વાપરત્વ દ્વારા જાણી શકાય છે, તે સર્વ વ્યવહારકાળ છે.
સ્વયં ઉપાદાનરૂપે પરિણમતા પદાર્થોને પરિણમનક્રિયામાં જે સહકારી થાય છે, તે “વર્તના' છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org