________________
૧૩૦
વિવિધા
૬. જીવ ચાર દિશામાં અન ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે.
૭. અસ્તિ, નાસ્તિ વગેરે સ્પતભંગથી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે.
૮. જ્ઞાનવરણ વગેરે આઠ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાને કારણે અષ્ટ-આશ્રય છે.
૯, નવ પદાર્થ કે તત્ત્વો-જીવ, અજીવ, પાપ, પુષ્ય, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ અર્થરુપ છે.
૧૦. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વિીદ્રિય, ત્રિદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે.
પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ સમગ્ર વસ્તુ એના અખંડ સ્વરૂપમાં સ્કંધ છે. તેના અર્ધાભાગને દેશ કહે છે. દેશના અર્ધભગને પ્રદેશ ને તેના છેવટના અવિભાગી ભાગને પરમાણુ કહે છે. તેમાં રસ, વર્ણ, ગંધ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક જ પ્રકારના રસ કે વર્ણાદિથી યુક્ત હોય છે. પુદ્ગલના છ પ્રકાર છે અને તેનાથી ત્રણ લોક ઉત્પન્ન થાય છે.
અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : ૧. પુદ્ગલ, ૨. ધર્મ, ૩.અધર્મ ૪. આકાશષ પ. કાળ ૧. પુગ્લ :
આ દ્રવ્યોમાંથી પુદ્ગલ રૂપોથી સહિત છે. તેથી તે મૂર્ત એટલે કે દશ્યમાન છે, પરંતુ અન્ય સર્વે અમૂર્ત છે.
શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકાર, ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતપ એ સર્વ પુદ્ગલ દ્રવ્યના પર્યાય છે.
૨. ધર્મ :
ગતિક્રિયામાં પરિણત યુગલ અને જીવોને ગમન કરવામાં જે સહકારી (બને) છે તે ધર્મદ્રવ્ય છે.
જેવી રીતે પાણીમાં ચાલતી માછલીઓને ગતિ કરવામાં પાણી સહાયરૂપ બને છે. પરંતુ ધર્મદ્રવ્ય અગતિશીલને ગતિ કરાવવા માટે પ્રેરક બનતું નથી, જે ગતિ કરે છે તેને માટે જ તે સહકારરૂપ બને છે. વૃદ્ધની લાકડી કે રેલવેના પાટા વૃદ્ધને કે રેલગાડીને ચલાવવામાં સહાયરૂપ બને છે, પણ તેમને ચલાવવા પ્રેરતા નથી.
- ધર્મદ્રવ્ય જીવ પુદગલોની ગતિમાં અપ્રેરક નિમિત્ત છે, પ્રેરક નથી. વૃદ્ધની લાકડી કે રેલવેના પાટા વગેરે અપ્રેરક નિમિત્તના ઉદાહરણ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org