SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ ૧૩૩ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ આવશ્યક આગમોનું બીજું મૂળસૂત્ર છે. તેમાં નિત્યકર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે. “પડાવશ્યક સૂત્રમાં જૈન આગમોમાં નિર્દેશિત છ આવશ્યક નિરૂપણ છે : સામાયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. મૂળ ગ્રંથના ગૂઢ રહસ્યને અને તેની વિશેષતાઓને સ્ફટ કરવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય રચવાની ભારતીય ગ્રંથકારોની પ્રાચીન પરંપરા અનુસાર “પડાવશ્યક સૂત્ર' વિશે પણ નિર્યુક્તિ, ભાષ્ય, વૃત્તિઓ અને બાલાવબોધની રચના થઈ છે. તેમાં આચાર્યશ્રી ભદ્રબાહુકૃત “આવશ્યકનિર્યુક્તિ સૌથી પ્રાચીન અને નોંધપાત્ર ગ્રંથ છે. તેના ઉપર પણ જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, કોટ્યાચાર્ય, મલયગિરિ, માલધારી હેમચંદ્ર, માણિક્યશેખર વગેરે આચાર્યોએ વિવિધ વ્યાખ્યાગ્રંથો રચ્યા છે. તે સાથે શ્રી તરુણપ્રભસૂરિ અને શ્રી મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ પણ ઉલ્લેખનીય છે. આચાર્ય ભદ્રબાહુ નિયુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ, છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર આર્ય ભદ્રબાહુથી ભિન્ન છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુએ પોતાની દશાશ્રુતસ્કન્ધ નિર્યુક્તિ અને પંચકલ્પનિર્યુક્તિના પ્રારંભમાં છેદસૂત્રકાર ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુ પ્રસિદ્ધ જયોતિવિંદ વરાહમિહિરના સહોદરના હોવાની માન્યતા છે. આચાર્ય ભદ્રબાહુ અષ્ટાંગનિમિત્ત તથા મંત્રવિદ્યામાં પારંગત હતા. ઉપસર્ગહરસ્તોત્ર અને ભદ્રબાહુસંહિતા પણ તેમની જ રચનાઓ હોવાની માન્યતા છે. તેમનો સમય પંચસિદ્ધાન્તિકા' માં ઉલ્લેખિત વિ.સં.ની છઠ્ઠી શતાબ્દીને માનવામાં આવે છે એ તે દૃષ્ટિએ આચાર્ય ભદ્રબાહુકત નિર્યુક્તિઓની રચના પણ વિ.સં. પ00 થી ૬00 ની વચ્ચે થઈ હોવાનું સ્વીકારી શકાય. આચાર્ય ભદ્રબાહુએ નિમ્નોક્ત આગમગ્રંથો પર નિયુક્તિઓ લખી છે : ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ, ૫. સૂત્રકૃતાંગ, ૬. દશાશ્રુતસ્કંધ, ૭. બૃહત્કલ્પ, ૮ વ્યવહાર, ૯. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ૧૦. ઋષિભાષિત. તેમાંથી સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિયુક્તિઓ અનુપલબ્ધ છે. આવશ્યકનિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ નિર્યુક્તિ રચનાનો સંકલ્પ કરવી વખતે આ ક્રમમાં જ ગ્રંથોનાં નામ રજૂ ક્યા છે, आवस्सगस्स दसकातिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुत्तिं वुच्छामि तहा दसाणं च ॥८४ कप्पस्स य निज्जुर्ति ववहारस्सेव परमाणिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥८५ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy