________________
૧૨૬
રંગોનો મન પર પ્રભાવ :
કાળો રંગ મનુષ્યમાં અસંયમ, હિંસા અને ક્રૂરતાના વિચાર ઉત્પન્ન કરે છે. નીલો રંગ મનુષ્યમાં ઈર્ષ્યા, અસહિષ્ણુતા, રસલોલુપતા અને આસક્તિનો ભાવ ઉત્પન્ન કરે છે.
કાપોત રંગ મનુષ્યમાં વક્રતા, કુટિલતા અને દૃષ્ટિકોણનો વિપર્યાસ ઉત્પન્ન કરે છે. અરુણ (કેસરી) રંગ મનુષ્યમાં ઋજુતા, વિનમ્રતા અને ધર્મ પ્રેમ ઉત્પન્ન કરે છે. પીળો રંગ મનુષ્યમાં શાન્તિ, ક્રોધ, માન, માયા અને લોભની અલ્પતા અને ઇન્દ્રિયવિજયનો ભાવ ઉત્પન્ન કરે છે.
વિવિધા
સફેદ સંગ મનુષ્યમાં ખૂબ જ શાંતિ અને જિતેન્દ્રિયતાનો ભાવ ઉત્પન્ન કરે છે. માનસિક વિચારોના રંગોના વિષયમાં અન્ય વર્ગીકરણ પણ મળે છે.
આ પ્રમાણે આંતરિક વૃત્તિઓથી સર્જાતુ રંગનું આભામંડળ અને બાહ્યરેંગો વચ્ચે એક ગૂઢ સંબંધ રહેલો છે, એમ કહી શકાય.
અન્ય દર્શનોમાં લેશ્યા સિદ્ધાંત :
ભારતમાં ગુણ-કર્મના આધારે આ પ્રકારનું વર્ગીકરણ કરવાની પ્રથા અત્યંત પ્રાચીન છે. જૈન ઉપરાંત બૌદ્ધ અને ગીતાની પરંપરામાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. અન્ય શ્રમણ-પરંપરાઓમાં પણ આ પ્રકારનું વર્ગીકરણ થયેલું છે. દીનિકાયમાં આજીવક સંપ્રદાયના મંખલપુત્ર ગોશાલક અને અંગુત્તરનિકાયમાં પૂર્ણ કાશ્યપના નામ સાથે આ વર્ગીકરણનો નિર્દેશ છે. તેમની માન્યતા અનુસાર કૃષ્ણ, નીલ, લોહિત, હરિદ્ર, શુક્લ અને પરમ શુક્લ આ છ પ્રકારની અભિજાતિઓ હોય છે. જૈન દર્શન અનુસાર અહીં અનેક પ્રકારનું શબ્દ-સામ્ય છે. પણ અહીં આ વર્ગીકરણ કેવળ મનુષ્યો પૂરતું સીમિત છે, જ્યારે જૈન દર્શનમાં સમગ્ર પ્રાણી-વર્ગનો સમાવેશ થાય છે.
-
Jain Education International 2010_03
મનોદશા અને આચરણ૫૨ક-વર્ગીકરણ બૌદ્ધ વિચારણાનું મહત્ત્વનું અંગ છે. તેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત મનોભાવ તથા કર્મના આધાર પર માનવજાતિને કૃષ્ણ અને શુક્લ વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે. જે ક્રૂર કર્મ કરનાર છે તે કૃષ્ણ અભિજાતિના અને જે શુભ કર્મ કરનાર છ તે શુક્લ અભિજાતિના છે. કૃષ્ણ અને શુક્લ બંને પ્રકારના મનુષ્યોને ગુણ કર્મને આધારે ત્રણ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે.જૈનાગમ ઉત્તરાધ્યયનમાં પણ લેશ્યાઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે વિભાગોમાં વિભાજિત કરીને તેના ત્રણ ત્રણ પ્રકાર આપવામાં આવ્યા છે. બૌદ્ધ વિચારણામાં શુભાશુભ કર્મ અને મનોવૃત્તિની દૃષ્ટિએ છ વિભાગ આપવામાં આવ્યા પણ શુભાશુભના પરિમાણથી જે ૫૨ છે, જેમણે તેનાથી પણ ઉચ્ચ કક્ષા સિદ્ધ કરી છે, તેમને માટે ‘અકૃષ્ણ શુક્લ એવં પ્રતિપાદન કર્યું.
ગીતામાં પણ પ્રાણીઓના ગુણ કર્મ અનુસાર વર્ગીકરણની ધારણા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org