SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં વેશ્યાનો સિદ્ધાંત ૧ ૨૫ ઓરા'ના પણ લગભગ આવા જ રંગો નિર્ધારિત કર્યા છે વૈજ્ઞાનિક પરીક્ષણથી સિદ્ધ થયું છે કે બહારના રંગો પણ વ્યક્તિને પ્રભાવિત કરે છે. બહારના રંગોનું ધ્યાન-ચિંતન કરીને આંતરિક રંગોમાં પણ પરિવર્તન કરી શકાય છે. તેને આધારે જ રંગ-ચિકિત્સા પદ્ધતિથી શારીરિક અને માનસિક રોગોને મટાડવામાં આવે છે. વ્યક્તિના વિચારો કે ચિંતન સાથે પણ રંગોનો સંબંધ છે. મનમાં અનિષ્ટ વિચારો કે ચિતન ચાલતું હોય તો ચિંતનના પુદ્ગલ કાળા વર્ણના હોય છે - કૃષ્ણ લેશ્યા હોય છે. ઇષ્ટ કે શુભ ચિંતન-હિત-ચિંતન કરવાથી તેની યાત્રા પ્રમાણે-પુદ્ગલ લાલ-પીત કે શ્વેત વર્ણના બને છે. તેનાથી તેજોલેશ્યા, પદ્મવેશ્યા કે શુક્લ લેશ્યા બને છે. જે પ્રકારના વિચાર અને કાર્ય હોય છે તે પ્રકારનો વેશ્યાનો રંગ હોય છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના શરીરની આસપાસ એક વિશિષ્ટ પ્રકારનું આભામંડળ કે લેડ્યા હોય છે. આંખ દ્વારા જોઈ શકાતી નથી, પણ તેનો અનુભવ કરી શકાય છે. આપણે અલગ અલગ વ્યક્તિઓના સામીપ્યમાં હોઈએ છીએ ત્યારે ક્યારેક મનમાં અકારણ ઉદાસીનતા, ઘેરી નિરાશા કે ક્ષોભનો અનુભવ કરીએ છીએ અને ક્યારેક અહેતુક પ્રસન્નતા, સ્કૂર્તિ અને આનંદની અનુભૂતિ થાય છે. તેનું કારણ દરેક વ્યક્તિની આસપાસ આવેલું આભામંડળ છે. અપ્રશસ્ત લેશ્યાઓ દુઃખ સંતાપ કે નિરાશા પ્રેરે છે અને પ્રશસ્ત લેશ્યા આનંદ-ઉત્સાહ અને આશા ઉત્પન્ન કરે છે. રંગોની શરીર અને મન પર કેવી અસર થાય છે, તેનો સામાન્ય ખ્યાલ નીચે આપવામાં આવ્યો છે. રંગોનો શરીર પર પ્રભાવ : લાલ : સ્નાયુ મંડળને સ્કૂર્તિ આપે છે. - નીલો : સ્નાયુઓની દુર્બળતા, ધાતુક્ષય, સ્વપ્ન-દોષ માં લાભ થાય છે અને હૃદય તથા મસ્તિષ્ક ને શક્તિ આપે છે. પીળો : મસ્તિષ્કની શાંતિનો વિકાસ, કબજિયાત, યકૃત અને પ્લીહાના રોગોને શાંત કરવામાં ઉપયોગી. લીલો : જ્ઞાન તંતુઓ અને સ્નાયુ મંડળને બળ આપે, વીર્ય રોગના ઉપશમમાં ઉપયોગી. ઘેરો નીલો : વધુ ગર્મીથી થનારા આમાશય સમ્બન્ધી રોગોના ઉપશમમાં ઉપયોગી. શુભ્ર (સફેદ) : ઊંઘ માટે ઉપયોગી. નારંગી : દમ તથા વાત જેવા રોગોને મટાડવામાં ઉપયોગી. બેંગની જાંબલી : શરીરના તાપમાનને ઓછું કરવામાં ઉપયોગી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy