________________
વિવિધા
રહેવું, રાગ દ્વેષ અને સ્નેહથી વિરત થવું-તે શુક્લ વેશ્યાનું લક્ષણ છે. આસક્તિ તે વ્યક્તિમાં પવિત્રતાની માત્રા અધિક હોય છે તે મન-વચન-કર્મથી એકરૂપ હોય છે અને પોતાના હિત માટે પણ અન્યને કષ્ટ આપતા સંકોચ પામે છે. તે ઉપશાંત, જિતેન્દ્રિય અને પ્રસન્નચિત્ત હોય છે તેથી સ્વકર્તવ્ય અને સ્વધર્મમાં નિમગ્ન રહે છે.
૧૨૪
શુક્લ લેશ્યાથી યુક્ત વ્યક્તિની મનોવૃત્તિ પરમ શુભ કે શુભતમ હોય છે, આ મનની સર્વોચ્ચ ભૂમિકા છે. પીત અને પદ્મ લેશ્યાના શુભ ગુણોની વિશુદ્ધિની માત્રા અહીં અધિકતમ હોય છે.
આ છ લેશ્યાના લક્ષણની વિભિન્નતા નીચેના શ્લોકમાં સુંદર દૃષ્ટાંત દ્વારા સમજાવી છે. :
पहिया जे छ प्पुरिसा, परिभद्वारण्णमज्जदेसम्हि । फलभरियरुक्खमेगं, पेदिखत्ता ते विचितंति ॥७॥ णिम्मूलखंघसाहु- वसाहं छित्तुं चिणितु पडिदाई | खाउं फलाई इदि, जं मणेण वयणं हवे कम्पं ॥ ८ ॥
છ યાત્રીઓ હતા. જંગલની મધ્યમાં આવતા માર્ગ ભૂલી ગયા. ક્ષુધાથી વ્યાકુળ થવા લાગ્યા. થોડા સમય ચાલ્યા પછી તેમણે ફળોથી લચેલું એક વૃક્ષ જોયું. તેમને ફળ ખાવાની ઇચ્છા થઈ. તેઓ મનોમન વિચારવા લાગ્યા. પ્રથમ યાત્રીએ વિચાર્યું કે વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખીને તેનાં ઉપરનાં ફળ મેળવવાં. બીજાએ વિચાર્યું કે વૃક્ષને થડમાંથી જ કાપવું-મૂળ સહિત કાપવાની જરૂર નથી. ત્રીજાએ જણાવ્યું કે થડના ઉપરના ભાગની મોટી શાખ મોટી ડાળી જ તોડીએ-ચોથા યાત્રીએ જેના ઉપર ફળ હતાં તે ઉપશખા-નાની ડાળી જ તોડવાની સલાહ આપી. પાંચમો ઇચ્છતો હતો કે કેવળ ફળ જ તોડવાં જોઈએ. છઠ્ઠા યાત્રીએ જણાવ્યું વૃક્ષ ઉપરથી પાકીને નીચે પડેલાં ફળો જ કેવળ વીણીને ખાવાં જોઈએ.
આ છ યાત્રીઓના વિચાર, વાણી અને કર્મ ક્રમશઃ છ લેશ્યાઓનાં ઉદાહરણ છે. લેશ્યાની શુદ્ધિ માટે કષાયોને ક્ષીણ કરવા જોઈએ. કારણ
लेस्सासोधी अज्झवसाणद्दिसोधए होइ जीवस्स । अज्झवसाणविसोधि, मंदकसायस्स णायव्वा ॥ १५ ॥
આત્મપરિણામોમાં વિશુદ્ધ થવાથી લેશ્યાની વિશુદ્ધિ થાય છે. અને કષાયોની મંદતાને પરિણામે જ આત્માની ઉપશુદ્ધિ સંભવ છે.
રંગ અને લેશ્યાનો સંબંધ :
લેશ્યાનાં નામો દ્વારા સમજી શકાય છે કે તે નામ અંદરથી ઉત્પન્ન થતી આભાને આધારે નક્કી કરવામાં આવ્યાં છે. આભાના રંગ દ્વારા વ્યક્તિનું માનસ સમજી શકાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત લેશ્યામાં રંગોનું પ્રભુત્વ છે. વૈજ્ઞાનિકોએ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org