________________
જૈનદર્શનમાં લેશ્યાનો સિદ્ધાંત
૧૨૩
લક્ષણ છે.
નીલ ગ્લેશ્યાથી યુક્ત વ્યક્તિના મનોભાવ,કૃષ્ણ લેશ્યાવાળા વ્યક્તિ કરતા ઓછા અશુભ-અશુભતર હોય છે. આ અવસ્થામાં તેનો વ્યવહાર વાસનાત્મક પક્ષથી જ શાસિત થાય છે. પણ તે વાસનામૂર્તિ માટે બુદ્ધિપૂર્વક વર્તે છે. તેથી બહારથી તેનું વર્તન પ્રમાર્જિત લાગે છે, પણ તેની પાછળ કુટિલતા પણ હોય છે. તે વિરોધીનું અહિત અપ્રત્યક્ષરૂપે કરે છે. તે ઇર્ષાળુ, અસહિષ્ણુ, અસંયમી, અજ્ઞાની, કપટી, નિર્લજ્જ, વૈષબુદ્ધિથી યુક્ત તથા પ્રમાદી હોય છે. તે પોતાના અલ્પ હિત માટે બીજાનું મોટું અહિત પણ કરે છે, અને ત્યારે બીજાનું હિત કરે છે, ત્યારે તેની પાછળ તેનો ઊંડો સ્વાર્થ હોય છે. કાપોત લેશ્યા :
જલ્દી રુઝ થવું, બીજાઓની નિન્દા કરવી, દોષારોપણ કરવું, અતિ શોકાકુળ બનવું, અત્યંત ભયભીત થવું એ કાપોત લેશ્યાનું લક્ષણ છે.
કાપોત-લેશ્યાથી યુક્ત વ્યક્તિ અશુભ મનોવૃત્તિ વાળી હોય છે. તેની મનોવૃત્તિ દૂષિત હોય છે અને મન વચન કર્મથી તેનો વ્યવહાર એકરૂપ હોતો નથી. પોતાના દોષોને છુપાવવાનો પ્રયત્ન કરે છે. બીજાનું ધન લઈ લેનાર અને સ્વાર્થસિદ્ધિ માટે અન્યનું અહિત કરનાર હોય છે. પીત (તજ) વેશ્યા :
કાર્ય-અકાર્યનું જ્ઞાન, શ્રેયાશ્રેયનો વિવેક, સર્વ પ્રતિ સમભાવ, દયા-દાનમાં પ્રવૃત્તિ-એ પીત કે તેજો લેશ્યાનું લક્ષણ છે. ૪.
તેજો વેશ્યાવાળી વ્યક્તિની મનોવૃદ્ધિ શુભ અને પવિત્ર હોય છે. તે સુખાપેલી હોય છે, પણ અનૈતિક આચરણમાં તે પ્રવૃત્ત થતો નથી. પોતાના હિતનો ધ્વંસ કરનાર પ્રત્યે ત ઉદાર રહી શકતો નથી, અને તેનું અહિત કરવા પ્રેરાય છે. અન્યથા આ મનોભૂમિકામાં વ્યક્તિ પવિત્ર આચરણ કરનાર, નમ્ર, સંયમી વિનીત અને ધર્યવાન હોય છે. પદમ પદ્મ લેશ્યા :
ત્યાગશીલતા, ભદ્રતા, પ્રામાણિકતા, કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ કે ગુરુજનોની પૂજા-સેવામાં તત્પરતા-એ પબલેશ્યાનું લક્ષણ છે. ૫
પીત વેશ્યા કરતા આ શુભતર લેગ્યા છે. આ મનોભૂમિમાં ક્રોધાદિ કષાયોની માત્રા ઘણી અલ્પ રહે છે, કે નહિવત બને છે. તે અલ્પભાષી, સંયમી, યોગી અને પ્રસન્નચિત્ત હોય છે. શુક્લ લેગ્યા :-:
પક્ષપાત ન કરવો અને તેનો નિર્ણય પણ ન આપવો, સર્વ પ્રત્યે સમદર્શી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org