________________
૧૨૨
વિવિધા
કહેલી છ લેશ્યાઓ વિશેષ મહત્ત્વની છે.
જૈન દર્શનમાં લેશ્યાઓના છ પ્રકાર આપવામાં આવ્યા છે : કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ. જૈન આગમોમમાં તેનું વર્ણન આ પ્રમાણે મળે છે.
किण्हा नीला काउ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ । एयाही तिहि वि जीवो, दुग्गई उववज्जई बहुसो ॥४॥ तेउ पम्हा सुक्का, तिण्णि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि हि जीवो, सुग्गइं उववज्जई बहुसो ॥५॥
કૃષ્ણ, નીલ અને કાપોત-આ ત્રણે અધર્મ અથવા અશુભ લેશ્યાઓ છે. તેને કારણે જીવ વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે.
તેજ, પદ્મ અને શુક્લ તે ત્રણ ધર્મ લેશ્યાઓ છે, તેનાથી જીવ સુગતિમાં ઉત્પન્ન થાય છે.
કૃષ્ણ, નીલ અને કપોત આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર એવા ત્રણ ભેદ હોય છે. ત્રણ શુભ લેશ્યાઓના-પ્રત્યેક મન્દ મન્દતર અને મન્દતમ એવા ત્રણ પ્રકાર પડે છે. તીવ્ર અને મન્દની અપેક્ષાથી પ્રત્યેકમાં અનન્ત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત્, ભાગ વૃત્તિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ગુણ-વૃદ્ધિ, અસંખ્યાત ગુણ-વૃદ્ધિ, અનન્ત ગુણ-વૃદ્ધિ એ છ વૃદ્ધિઓ અને છ હાનિ સદૈવ હોય છે. તેથી લેશ્યાઓની સ્થિતિમાં હાનિ-વૃદ્ધિ થતી રહે છે, તેની એક સરખી પરિસ્થિતિ હોતી નથી. કૃષ્ણ લેયા :
સ્વભાવની ઉગ્રતા, વેરની મજબૂત ગાંઠ, ઝગડાખોર વૃત્તિ, ધર્મહીનતા અને દયાહીનતા, દુષ્ટતા, સમજાવવા છતાં ન માનવું એ કૃષ્ણ લેશ્યાનું લક્ષણ છે. આ નૈતિક
વ્યક્તિત્વનું સૌથી નિકૃષ્ટરૂપ અથવા અશુભતમ મનોભાવ છે. આ અવસ્થામાં વ્યક્તિના વિચાર અત્યંત નિમ્ન કોટિના અને ક્રૂર હોય છે. તે પોતાની શારીરિક, માનસિક કે વાચિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવા અક્ષમ હોવાને કારણે, શુભાશુભનો વિચાર કર્યા વગર ઇન્દ્રિય-વિષયોની પૂર્તિમાં ભોગવિલાસમાં જ તલ્લીન રહે છે, ભોગેચ્છાની તૃપ્તી માટે ચોરી, વ્યાભિચાર અને સંગ્રહમાં જ તેનું ચિત્ત લાગેલું છે. સ્વભાવથી નિર્દય હોવાને કારણે તે હિંસા પણ કરે છે. પોતાના ક્રૂર સ્વભાવથી વશીભૂત થઈને, પોતાના હિતાહિતનો વિચાર ક્યા વગર જ અન્ય પ્રત્યે ક્રૂર વર્તન કરે છે અથવા તેમનું અહિત કરે છે. પોતના હિતના અભાવમાં પણ બીજાનું અહિત કરે છે. નીલ લેગ્યા :
મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષયલોલુપતા - સંક્ષેપમાં નીલ વેશ્યાનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org