SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં લેશ્યાનો સિદ્ધાંત ૧૨ ૧ થાય છે. તેવી રીતે આ સૂક્ષ્મ ભૌતિક તત્ત્વોથી મનોભાવ બને છે અને મનોભાવ હોવાને કારણે આ સૂક્ષ્મ સંરચનાઓનું નિર્માણ થાય છે. તેને માટે પંડિત સુખલાલજી દ્વારા અને અભિધાન રાજેન્દ્રકોશ (ખંડ-૬, પૃ. ૬૭૫) માં નીચે પ્રમાણે ત્રણ મત પ્રદર્શિત કરવામાં આવ્યા છે : ૧. લેશ્યા-દ્રવ્ય કર્મ-વર્ગણાથી બનેલું છે. આ ઉત્તરાધ્યયનની ટીકામાં છે. ૨. લેગ્યા-દ્રવ્ય બધ્યમાન કર્મપ્રવાદરૂપ છે. આ મત પણ ઉત્તરાધ્યાયની ટીકામાં વાદિવૈતાલ શાન્તિસૂરિનો છે. ૩. લેશ્યાયોગના પરિણામરૂપ અર્થાત્ શરીર મન અને વાણીની ક્રિયાઓના પરિણામરૂપ છે. આ મત આચાર્ય હરિભદ્રનો છે. ભાવ લેગ્યા: ભાવ લેશ્યા આત્માનો અધ્યવસાય અથવા અંતઃકરણની વૃત્તિ છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં ભાવલેશ્યા આત્માનો મનોભાવવિશેષ છે, જે સંકલેશ અને યોગથી પ્રેરાયેલો છે. સંકલેસની તીવ્ર, તીવ્રત, તીવ્રતમ તથા મન્દ, મન્દસર, મન્દતમ વગેરે અનેક સ્થિતિ હોવાથી વેશ્યાના પણ અનેક પ્રકાર આપવામાં આવ્યા છે. પરંતુ મુખ્યત્વે મનોભાવના અશુભત્વ અને શુભત્વને આધારે પ્રશસ્ત અને પ્રશસ્તની દષ્ટિએ મુખ્ય છ ભાગ નીચે પ્રમાણે આપ્યા છે. અપ્રશસ્ત મનોભાવ - ૧. કૃષ્ણ લેશ્યા - તીવ્રતમ અપ્રશસ્ત મનોભાવ ૨. નીલ લેગ્યા - તીવ્રતર અપ્રશસ્ત મનોભાવ ૩. કાપોત લેશ્યા - (તીવ્ર) અપ્રશ્નત મનોભાવ પ્રશસ્ત મનોભાવ : ૪. તેજો (પીત) લેશ્યા - (તીવ્ર) પ્રશસ્ત મનોભાવ ૫, પદ્મ લેશ્યા - તીવ્રતર પ્રશસ્ત મનોભાવ ૬. શુક્લ લેશ્યા - તીવ્રતમ પ્રશસ્ત મનોભાવ લેશ્યાઓ મનોભાવોનું જ કેવળ વર્ગીકરણ નથી, પરંતુ તે ક્રિયાઓના રૂપમાં બાહ્ય અભિવ્યક્તિ પણ પામે છે, અર્થાત્ વ્યક્તિના ચારિત્ર્યના પણ ઘાતક છે. તેથી જૈન દર્શનમાં લેગ્યાના સંદર્ભમાં મનોભાવ અને મનોક્રિયાની સાથે પ્રત્યુત્પન્ન જીવનના કર્મક્ષેત્રમાં ઘટિત થનારા સર્વ વ્યવહારોની પણ ચર્ચા કરી અને નૈતિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ બતાવ્યું. જૈન વેશ્યા-સિદ્ધાન્તનું ષડવિધ વર્ગીકરણ માત્રાત્મક અંતરોના આધારે ત્રણ નય, એક્યાસી અને બસો તેતાલીસ પેટા પ્રકારો સધી વિસ્તર્યું છે. પણ તેમાં આગળ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy