SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જૈનદર્શનમાં લેશ્યાનો સિદ્ધાંત લેશ્યા જૈન પારિભાષિક શબ્દ છે. તેનો સંબંધ માનસિક વિચારો કે ભાવનાઓ સાથે છે. આ પૌદ્દગલિક છે. મન, શરીર અને ઇન્દ્રિય પૌદ્દગલિક છે. મનુષ્ય બહારથી પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તદ્દનુસાર તેનું વ્યક્તિત્ત્વ ઘડાય છે. તેના આંતરવ્યક્તિત્વની જે આભા તેની આસપાસ સર્જાય છે, તેને જૈન દૃષ્ટિઅ લેશ્યા કહેવામાં આવે છે. અન્ય શબ્દોમં તેને ‘ઓરા' અથવા આભામંડળ કહેવામાં આવે છે. તેના વિશે વૈજ્ઞાનિક જગતમાં પણ ઘણું સંશોધ થયું છે. તેના ફોટા લેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેને આધાર વ્યક્તિ જીવિત છે કે મૃત, તેનો નિર્ણિય પણ ક્યારેક કરવામાં આવે છે. યોગસિદ્ધ ગુરુને માટે તે આવશ્યક છે કે તે ‘ઓરા’ ના વિશેષજ્ઞ હોય !શિષ્યની પરીક્ષા તે ‘ઓરા' દ્વારા કરે છે. ‘ઓરા' અથવા ‘લેશ્યા’ આપણી આંતરિક પરિસ્થિતિનું પ્રતિબિમ્બ છે. વ્યક્તિ પોતાનાં દુરિત કર્યો કે ભાવોને છુપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ આભામંડળના વિશેષજ્ઞથી તે પોતાની સ્થિતિ છુપાવી શકતો નથી. શરીરમાંથી ઉત્પન્ન થતી આભા વ્યક્તિના વિચારો કે ભાવોનું પ્રતિક્ષણ પ્રતિનિધિત્વ કરતી હોય છે. તે રંગોના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. મહાપુરુષોના મસ્તક પાછળ જે આભા-વલય દેખાય છે તે તેમના મનની શાંત સ્થિતિમાં નિર્મિત ઓરા-આભામંડળ હોય છે. જૈનદર્શનમાં લેશ્યા : જૈન વિચાર અનુસાર જે આત્માને કર્મથી લિપ્ત કરે છે અથવા તો આત્માને કર્મબન્ધથી બાંધે છે તે લેશ્યા છે. જેમકે, जोगपत्ती लेस्सा, कसायउदयानुरंजिया होई । तत्तो दोहं कज्जं, बंधचउकं समुद्दिनं ॥२॥ કષાયના ઉદયથી અનુરંજિત મન-વચન-કાયાની યોગ-પ્રવૃત્તિને લેશ્યા કહે છે. આ બંને અર્થાત્ કષાય અને યોગનું કાર્ય છે- ચાર પ્રકારના કર્મબન્ધ. કષાયથી કર્મોની સ્થિતિ અને અનુભાગ બંધ રચાય છે યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ. 8 વિવિધા જૈનાગમોમાં લેશ્યાના મુખ્ય બે પ્રકાર માનવામાં આવ્યા છે : ૧. દ્રવ્યલેશ્યા અને ૨. ભાવલેશ્યા. દ્રવ્યલેશ્યા : દ્રવ્ય લેશ્યા સૂક્ષ્મ ભૌતિકી તત્ત્વો દ્વારા નિર્મિત તે આંગિક સંરચના છે, જે આપણા મનોભાવો અને તજ્જનિત કર્મોનું સાપેક્ષ રૂપમાં કારણ અથવા કાર્ય બને છે. જેવી રીતે પિત્તદ્રવ્યની બહુલતાથી સ્વભાવ ક્રોધી બને છે અને ક્રોધને કારણે પિત્તવૃદ્ધિ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy