SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૭ સ્વાભાવિક રૂપમાં કર્મોનું નિર્જરિત હોવાથી. તત્ત્વાર્થસૂત્રમાં પણ આ જ કારણ માનવામાં આવ્યાં છે. કર્મગ્રંથ અનુસાર અવિરત સમ્યક્દષ્ટિ મનુષ્ય અથવા તિર્યંચ (પશુ), દેશવિરત શ્રાવક, સરાગી-સાધુ બાલ-તપસ્વી અને ઇચ્છા ન હોવા છતાં પણ પરિસ્થિતિવશ ભૂખ-તરસ વગેરેને સહન કરવા છતા અકામ-નિર્જરા કરનાર વ્યક્તિ દેવ-આયુષ્યનો બંધ કરે છે. ૬. નામ કર્મ : જેવી રીતે ચિત્રકાર વિવિધ રંગોથી અનેક પ્રકારનાં ચિત્રો બનાવે છે, તેવી જ રીતે નામકર્મ વિવિધ પરમાણુઓથી જગતના પ્રાણીઓના શરીરની રચના કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં નામ-કર્મ વ્યક્તિનું નિર્ધારક તત્ત્વ કહી શકાય છે. જૈનદર્શનમાં વ્યક્તિત્વના નિર્ધારક તત્વોના નામકર્મની પ્રકૃતિના રૂપમાં ઓળખાય છે, જેની સંખ્યા ૧૦૩ માનવામાં આવે છે પરંતુ વિસ્તારભયથી એનું વર્ણન સંભવ નથી. ઉપર્યુક્ત દરેક વર્ગીકરણનું સંક્ષિપ્ત રૂપ છે – ૧. શુભનામકર્મ (સારું વ્યક્તિત્વ) અને ર. અશુભનામ કર્મ (ખરાબ વ્યક્તિત્વ) પ્રાણીજગતમાં જે આશ્ચર્યજનક વૈચિત્ર જોવા મળે છે, એનું મુખ્ય કારણ નામ-કર્મ છે. શુભ નામ કર્મના બંધના કારણ – જૈનાગામોમાં સારા વ્યક્તિત્વની પ્રાપ્તિનાં ચાર કારણ માનવામાં આવ્યાં છે - ૧. શરીરની સરળતા, ૨. વાણીની સરળતા, ૩. મન અથવા વિચારોની સરળતા, ૪. અહંકાર અને માત્સર્યથી રહિત હોવું અથવા સામંજસ્ય પૂર્ણ જીવન. શુભ નામકર્મનો વિપાક :- ઉપર્યુક્ત ચાર પ્રકારના શુભ-આચરણથી પ્રાપ્ત શુભ વ્યક્તિત્વનો વિપાક ૧૪ પ્રકારનો માનવામાં આવે છે - ૧. અધિકારપૂર્ણ પ્રભાવક વાણી (ઈષ્ટ શબ્દ), ૨. સુંદર, સુગઠિત શરીર (ઈષ્ટ રૂપ), ૩. શરીરથી નિઃસૃત થનાર મળોમાં પણ સુગંધ (ઈષ્ટ ગંધ), ૪. જૈવીય રસોની સમુચિતતા (ઈષ્ટ રસ), પ. ત્વચાનું સુકોમળ હોવું (ઈષ્ટ સ્પર્શ), ૬. અચપલ યોગ્ય ગતિ (ઈષ્ટ ગતિ), ૭. અંગોનું સમુચિત સ્થાન પર હોવું (ઇષ્ટ સ્થિતિ), ૮. લાવણ્ય, ૯. યશકીર્તિનો પ્રસાર (ઈષ્ટ યશ કીતિ), ૧૦. યોગ્ય શારીરિક શક્તિ (ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ), ૧૧. લોકોને રૂચિકર લાગે એવો સ્વર, ૧૨. કાન્ત સ્વર, ૧૩. પ્રિય સ્વર અને ૧૪. મનોજ્ઞ સ્વર. અશુભ નામકર્મનાં કારણ - નીચે ચાર પ્રકારના અશુભ આરણથી વ્યક્તિ (પ્રાણી) ને અશુભ વ્યક્તિત્વની પ્રાપ્તિ થાય છે : ૧. શરીરની વક્રતા, ૨. વચનની વક્રતા, ૩. મનની વક્રતા, ૪. અહંકાર અને માત્સર્યવૃત્તિ અથવા અસામંજસ્યપૂર્ણ જીવન. અશુભ નામકર્મનો વિપાક : ૧. અપ્રભાવક વાણી (અનિષ્ટ શબ્દ), ૨. અસુન્દર શરીર (અનિચ્છનીય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy