SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા બ. ચરિત્ર મોહ-ચારિત્ર મોહના કારણે પ્રાણીનું આચરણ અશુભ હોય છે. ચારિત્ર-મોહજનિત અશુભ આચરણ ૨૫ પ્રકારના છે. મોહનીય કર્મનો વિપાક મોહનીય કર્મ વિવેકાભાવ છે અને આ વિવેકાભાવના કારણે અશુભની તરફ પ્રવૃત્તિની રુચિ થાય છે. અન્ય પરમ્પરાઓમાં જે સ્થાન અવિદ્યાનું છે, એ જ સ્થાન જૈન પરમ્પરામાં મોહનીય કર્મનું છે. જે પ્રકારે અન્ય પરંપરાઓમાં બન્ધનનુ મૂળ કારણ અવિદ્યા છે, એ જ પ્રકારે જૈન પરંપરાઓમાં બંધનનું મૂળ કારણ મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ જ નૈતિક વિકાસનો આધાર છે. ૧૧૬ ૫. આયુષ્ય કર્મ : જેવી રીતે બેડી કે સાંકળ કેદીની સ્વાધિનતામાં નડતરરૂપ છે, એ જ રીતે જે કર્મપરમાણુ આત્માને વિભિન્ન શરીરોમાં નિયત સમય સુધી કેદ રાખે છે, એને આયુષ્ય કર્મ કહેવાય છે. આ કર્મ નિશ્ચય કરે છે કે આત્માને કેવી રીતે શરીરમાં કેટલા સમય સધી રહેવું. આયુષ્ય કર્મ ચાર પ્રકારનાં છે ઃ ૧. નરક આયુષ્ય, ૨. તિર્યંચ આયુષ્ય (વાનસ્પતિક અને પશુ જીવન), ૩. મનુષ્ય આયુષ્ય અને ૪. દેવ આયુષ્ય. આયુષ્ય કર્મના બંધના કારણ - દરેક પ્રકારના આયુષ્ય કર્મના બંધના કારણ શીલ અને વ્રતથી રહિત આચરણમાં માનવામાં આવે છે. છતાં પણ કોઈ પ્રકારના આચરણથી કોઈ પ્રકારનું જીવન મળે છે, એનો નિર્દેશ પણ જૈન આગમોમાં પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં દરેક પ્રકારના આયુષ્ય કર્મના બંધના ચાર ચાર કારણ માનવામાં આવ્યા છે. અ. નરકના જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ ૧. મહારમ્ભ (ભયાનક હિંસક કર્મ), ૨. મહાપરિગ્રહ (અત્યધિક સંચયવૃત્તિ), મનુષ્ય, પશુ વગેરેનો વધ કરવો, ૪. માંસાહાર અને શરાબ વગેરે નશીલા પદાર્થોનું સેવન. બ. પશુ જીવની પ્રાપ્તિનાં ચાર કારણ - ૧. કપટ કરવું, ૨. રહસ્યપૂર્ણ કપટ કરવું, ૩. અસત્ય ભાષણ, ૪. ઓછું-વધારે તોલમાપ કરવું, કર્મગ્રંથમાં પ્રતિષ્ઠા ઓછી હોવાના ભયથી પાપને પ્રગ ન કરવું એ પણ તિર્યંચ આયુષ્યના બંધનું કારણ માનવામાં આવ છે. તત્વાર્થસૂત્રમાં માયા (કપટ) ને જ પશુયોનિનું કારણ બતાવવામાં આવ્યું છે. સ. માનવ જીવની પ્રાપ્તિનાં ચારણ કારણ - ૧. સરળતા, ૨. વિનયશીલતા, ૩. કરુણા અને ૪ અહંકાર અને માત્સર્યથી રહિત હોવું. તત્વાર્થસૂત્રમાં ૧. અલ્પ આરંભ, ૨. અલ્પ પરિગ્રહ, ૩. સ્વભાવની સરળતા ને ૪. સ્વભાવની મૃદુતાને મનુષ્ય આયુષ્યના બંધના કારણ કહેવામાં આવ્યા છે. ૬. દેવ જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ ૧. સરાગ (સકામ) સંયમનું પાલન, ૨. સંયમનું આંશિક પાલન, ૩. સકામ તપસ્યા (બાળ તપ), ૪. Jain Education International 2010_03 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy