________________
જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત
૧૧૫
શતાવેદનીય કર્મનો વિપાક – ઉપર્યુક્ત શુભાચરણના ફલસ્વરૂપ પ્રાણીને નીચે પ્રમાણેની સુખદ સંવેદના પ્રાપ્ત કરે છે - ૧. મનોહર, કર્ણપ્રિય, સુખદ સ્વર સાંભળવા મળે છે. ૨. મનોજ્ઞ, સુંદરરૂપ જોવા મળે છે, ૩. સુગન્ધની સંવેદના થાય છે, ૪. સુસ્વાદવાળું ભોજન પ્રાપ્ત છાય છે. ૫. મનોજ્ઞ, કોમળ સ્પર્શ તથા આસન શયનાદિ પ્રાપ્ત થાય છે. ૬. ઇચ્છિત સુખોની પ્રાપ્તિ થાય છે. ૭. શુભવચન, પ્રશંસા વગેરે સાંભળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ૮. શારીરિક સુખ મળે છે.
અશાતાવેદનીય કર્મના કારણ - જે અશુભ આચરણોના કારણે પ્રાણીને દુ:ખદ સંવેદના પ્રાપ્ત થાય છે તે ૧૨ પ્રકારની છે – ૧. કોઈપણ પ્રાણીને દુઃખ આપવું, ૨. ચિત્તિત કરવા, ૩, શોકાતુર બનાવવા, ૫. રડાવવા, ૫. મારવા અને ૬. પ્રતાડિત કરવા. આ છ ક્રિયાઓની મંદતા અને તીવ્રતાના આધાર પર એના બાર પ્રકાર થાય છે.
અશાતાવેદનીય કર્મનો વિકાપ – ૧. કર્ણ-કટુ, કર્કશ સ્વર સાંભળવા મળે છે. ૨. અમનોજ્ઞ અને સૌન્દર્યવિહીન રૂપ જોવા મળે છે. ૩. અમનોજ્ઞ ગંધની પ્રાપ્તિ થાય છે. ૪. સ્વાદવગરનું ભોજન મળે છે. ૫. અમનોજ્ઞ, કઠોર અને દુ:ખદ સંવેદના ઉત્પન્ન કરનાર સ્પર્શ પ્રાપ્ત થાય છે. ૬. અમનોજ્ઞ માનસિક અનુભૂતિઓનું હોવું. ૭. નિંદાઅપનાનજનક વચન સાંભળવા મળે છે અને ૮. શરીરમાં વિવિધ રોગોની ઉત્પત્તિથી શરીરને દુઃખદ સંવેદનાઓ પ્રાપ્ત થાય છે. ૪. મોહનીય કર્મ :- જેમ મદિરા વગેરે નશીલી વસ્તુના સેવનથી વિવેક શક્તિ કુંઠિત થઈ જાય છે, એ જ રીતે જે કર્મ-પરમાણુઓથી આત્માની વિવેક-શક્તિ કુંઠિત થઈ જાય છે અને અનૈતિક આચરણમાં પ્રવૃત્ત થાય છે, એને મોહનીય (વિમોહીત કરનાર) કર્મ કહેવાય છે. એના બે ભેદ છે- દર્શનમોહ અને ચારિત્રમોહ.
મોહનીય કર્મના બંધના કારણ - સામાન્ય રીતે મોહનીય કર્મના બંધ છે કારણોથી થાય છે - ૧. ક્રોધ, ૨. અહંકાર, ૩. કપટ, ૪. લોભ, ૫. અશુભ-આચરણ અને ૬. વિવેકાભાવ (વિમૂઢતા), પ્રથમ પાંચથી ચારિત્રમોહનું અને અંતિમથી દર્શનમોહના બંધ થાય છે.
અ.દર્શન મોહ-દર્શન મોહના કારણે પ્રાણીમાં સમ્યક્ દષ્ટિકોણનો અભાવ હોય છે અને તે મિથ્યા ધારણાઓ અને વિચારોનો શિકાર રહે છે, એની વિવેકબુદ્ધિ અસંતુલિત હોય છે. દર્શનમોહ ત્રણ પ્રકારના છે - ૧.મિથ્યાત્વ મોહ જેના કારણે પ્રાણી અસત્ય ને સત્ય તથા સત્યને અસત્ય સમજે છે. શુભને અશુભ અને શુભ માનવાનો મિથ્યાત્વ મોહ છે. ૨. સમ્યફ મિથ્યાત્વ મોહ-સત્ય અને અસત્ય તથા શુભ અને અશુભના સંબંધમાં અનિશ્ચાત્યાત્મકતા અને ૩. સમ્યત્વ મોહ-ક્ષયિક સમ્યત્વ પ્રાપ્તિમાં નડતરરૂપ સમ્યક્ત્વ મોહ છે અથવા દષ્ટિકોણની આંશિક વિશુદ્ધતા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org