SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ વિવિધા દર્શનાવરણીય કર્મબંધનું કારણ – જ્ઞાનાવરણીય કર્મની જેમ જ છ પ્રકારના અશુભ આચરણ દ્વારા દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે – ૧. સમ્યક દૃષ્ટિની નિંદા કરવી અથવા એના પ્રત્યે અકૃતજ્ઞ બનવું, ૨. મિથ્યાત્વ અથવા અસત માન્યતાઓનું પ્રતિપાદન કરવું, ૩. શુદ્ધ દષ્ટિકોણની ઉપલબ્ધિમાં નડતરરૂપ બનવું. ૪. સમ્યફ દૃષ્ટિનો વિનય અને સન્માન ન કરવું, પ. સમ્યકરષ્ટિ પર દ્વેષ કરવો, ૬. સમ્યકરષ્ટિ સાથે મિથ્યગ્રહ સાથે વિવાદ કરવો. તે દર્શનાવરણીય કર્મનો વિપાક - ઉપરના અશુભ આચરણોને કારણે આત્માના દર્શન ગુણ ૯ પ્રકારમાં વહેચાય છે : ૧. ચક્ષુદર્શનાવરણ નેત્રશક્તિનું અવરુદ્ધ થવું, ૨. અચસુદર્શનાવરણ - નેત્ર સિવાયની અન્ય ઈન્દ્રિયોની સામાન્ય અનુભવશક્તિનું અવરુદ્ધ થવું. ૩. અવધિદર્શનાવરણ - સીમિત અતિન્દ્રિય દર્શન ઉપલબ્ધ થવામાં નડતર થવું, ૪. કેવળ દર્શનાવરણ – સંપૂર્ણ દર્શન ઉપલબ્ધ ન થવું. ૫. નિદ્રા સામાન્ય નિંદ્રા, ૬, નિંદ્રાનિદ્રા-ગહેરી નિંદ્રા. ૭. પ્રચલા બેઠા બેઠા આવી જતી નિદ્રા. ૮. પ્રચલાપ્રચલા-હરતા ફરતા આવી જતી નિદ્રા. ૯. સ્યાનગૃદ્ધિ – જે નિદ્રામાં પ્રાણી મોટા મોટા શક્તિશાળી કાર્ય કરે છે. અંતિમ બે અવસ્થાઓ આધુનિક મનોવિજ્ઞાનના દ્વિવિધ વ્યક્તિત્ત્વને સમાન માનવામાં આવે છે. ઉપર્યુક્ત પાંચ પ્રકારની નિંદ્રાઓના કારણે વ્યક્તિની સહજ અનુભૂતિની ક્ષમતામાં અવરોધ ઉત્પન્ન થાય છે. ૩. વેદનીય કર્મ : જેના કારણે સાંસારિક સુખ-દુઃખની સંવેદના થાય છે, એને વેદનીય કર્મ કહેવાય છે. એના બે ભેદ છે - ૧. શાતા વેદનીય અને ૨. અશાતાવેદની. સુખરૂપ સંવેદનાનું કારણ શતાવેદનીય અને દુ:ખરૂપ સંવેદનાનું કારણ અશાતાવેદનીય કર્મ કહેવાય છે. શાતાવેદનીય કર્મનું કારણ - દશ પ્રકારના શુભાચરણ કરનાર વ્યક્તિ સુખદ-સંવેદનારૂપ શતાવેદનીય કર્મનો બંધ કરે છે – ૧ પૃથ્વી, પાણી, વગેરેના કારણે જીવો પર અનુકપા કરવી, ૨. વનસ્પતિ, વૃક્ષ, લતાઓ પર અનુકમ્પા કરવી, ૩. દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓ પર દયા કરવી, ૪. પંચેન્દ્રિય પશુઓ અને મનુષ્યો પર અનુકમ્પા કરવી, ૫. કોઈને પણ કોઈપણ પ્રકારનું દુઃખ ન આપવું, ૬. કોઈપણ પ્રાણીને ચિત્તા અને ભય ઉત્પન્ન થાય એવું કાર્ય ન કરવું, ૭. કોઈપણ પ્રાણીને શોકાતુર ન બનાવવો, ૮. કોઈપણ પ્રાણીને રડાવવું નહીં, ૯. કોઈપણ પ્રાણીને મારવું નહીં અને ૧૦. કોઈપણ પ્રાણીને પ્રતાડિત ન કરવું. કર્મગ્રંથમાં શાતાવેદનીય કર્મના બંધનના કારણે ગુરુભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતપાલન, યોગ-સાધના, કષાયવિજય, દાન અને દેઢશ્રદ્ધા માનવામાં આવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy