SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૩ ૨. નિદ્ધ – જ્ઞાનનો ઉપકાર સ્વીકાર ન કરવો અથવા કોઈ વિષયને જાણવા છતાં તેની અવગણના કરવી. ૩. અન્તરાય : જ્ઞાનની પ્રાપ્તિમાં નડતરરૂપ બનવું. જ્ઞાની અને જ્ઞાનના સાધન પુસ્તક વગેરેને નષ્ટ કરવા. ૪. માત્સર્ય - વિદ્વાનો પ્રત્યે દ્વેષ - બુદ્ધિ રાખવી, જ્ઞાનના સાધન પુસ્તક વગેરે પ્રત્યે અરુચિ રાખવી. ૫. અસાદના – જ્ઞાન અને જ્ઞાની પુરુષોના વાક્યોનો સ્વીકાર ન કરવો, એમનો સારી રીતે વિનય ન કરવો એ, ૬. ઉપઘાત - વિદ્વાનોની સાથે મિથ્યાગ્રહયુક્ત વિસંવાદ કરવો અથવા સ્વાર્થવશ સત્યને અસત્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો. ઉપરના છ પ્રકારનું અનૈતિક આચરણ વ્યક્તિની જ્ઞાનશક્તિને કુંઠિત કરવાનું કારણ છે. જ્ઞાનાવરણીય કર્મનો વિપાક – વિપાકની દૃષ્ટિથી જ્ઞાનાવરણીય કર્મના કારણ પાંચ રૂપમાં આત્માની જ્ઞાન-શક્તિનું આવરણ હોય છે. ૧. મતિજ્ઞાનાવરણ - ઐન્દ્રિક અને માનસિક જ્ઞાન-ક્ષમતાનો અભાવ. ૨ શ્રુતિ જ્ઞાનાવરણ - બૌદ્ધિક અથવા આગમજ્ઞાન ઉપલબ્ધ ન થવું. ૩. અવધિજ્ઞાનાવરણ - અતિન્દ્રિય જ્ઞાન-ક્ષમતાનો અભાવ. ૪. મનઃ પર્યાય જ્ઞાનાવરણ : બીજાની માનસિક અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની શક્તિનો અભાવ. ૫. કેવલ જ્ઞાનાવરણ : પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતાનો અભાવ. ક્યારેક-ક્યારેક વિપાકની દૃષ્ટિથી તેના ૧૦ ભેદ બતાવવામાં આવ્યા છે. ૧. સાંભળવાની શક્તિનો અભાવ, ૨. સાંભળીને મેળવેલ જ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૩. દષ્ટિ શક્તિનો ભાવ. ૪.દશ્યજ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૫. ગંધગ્રહણ (પારખવાની) કરવાની શક્તિનો અભાવ, ૬. ગંધ સંબંધી જ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૭. સ્વાદગ્રહણ કરવાની શક્તિનો અભાવ, ૮. સ્વાદ સંબંધી જ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૯. સ્પર્શ-ક્ષમતાનો અભાવ અને ૧૦. સ્પર્શ સંબંધી જ્ઞાન ઉપલબ્ધ ન થવું. ૨. દર્શનાવરણીય કર્મ : જેવી રીતે દ્વારપાળ રાજાના દર્શનમાં અવરોધરૂપ હોય છે એજ રીતે કર્મવર્ગણાઓ આત્માની દર્શન શક્તિમાં અવરોધરૂપ હોય છે, તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાન પહેલા થનાર વસ્તુ તત્ત્વનો નિર્વિકલ્પ બોધ, જેમાં સત્તા સિવાય કોઈ વિશેષ ગુણ ધર્મની પ્રાપ્તિ થતી નથી, તને દર્શન કહેવાય છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન-ગુણને આવૃત્ત કરે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy