SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત જૈનદર્શનમાં કર્મસિદ્ધાંતનું વિશદ, વૈજ્ઞાનિક અને અતિ સૂક્ષ્મ રીતે નિરૂપણ કરેલું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ કાર્યકારણના સિદ્ધાંતનું જે મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ નૈતિકમૂલ્યોની દૃષ્ટિએ આચાર-દર્શનમાં કર્મસિદ્ધાંતનું છે. આચારદર્શન કર્મસિદ્ધાંતમાં આધારે જ સમાજમાં નૈતિકતાની પ્રતિષ્ઠા અને તેને માટે નિષ્ઠા જાગૃત કરી શકે છે. કર્મસિદ્ધાંત અનુસાર જ વર્તમાનકાલિક કાયિક-વાચિક અને માનસિક કર્મો ભૂતકાલીન કર્મોથી પ્રભાવિત હોય છે અને ભવિષ્યમાં કર્મોને પ્રભાવિત કરવાની ક્ષમતાથી યુક્ત હોય છે. આત્મા શુભ કે અશુભ ભાવ ભાવિત કરે તે વખતે આત્મા તરફ આવતા પુદગલોને કાર્યણવર્ગણા કહે છે, જેને આત્મા સાથે બંધાયા પછીથી કર્મ કહેવાય છે, આત્મા તરફ આવતા કર્મપ્રવાહને આસ્રવ કહે છે. આત્મા અને કાર્યણવર્ગણાનો કર્મરૂપ સંયોગ તે કર્મબંધન છે. સંસારી જીવ મુખ્યત્વે અબદ્ધ નોકર્મ બદ્ધ નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ દ્વારા કર્મબંધને પામે છે. કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્યત્વે બે ઘાતી અને અઘાતી કર્મ છે. તે બંનેના ચાર ચાર પ્રકાર છે. એમ કુલ આઠ પ્રકારનાં કર્મોને મહત્ત્વના ગણવામાં આવે છે. કર્મ વિવિધા ઘાતી અઘાતી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અંતરાય વેદનીય નામ ગોત્ર આયુષ્ય આત્માના મુખ્ય અને મૂળ ગુણોનો ઘાત કરે, નાશ કરે તે ઘાતી કર્મ છે. આત્માનો શરીરાદિ પદાર્થો સાથે સંયોગ, વિયોગ કરાવે, શરીરની શાતાઅશાતા ઉપજાવવા આદિમ નિમિત્ત બને તેવાં કર્મોને અઘાતી કર્મ કહેવાય છે. ૧. શાનાવરણીય કર્મ : જેવી રીતે વાદળ સૂર્ય પ્રકાશને ઢાંકી દે છે, એજ રીતે જે કર્મવર્ણગાઓ આત્માની જ્ઞાનશક્તિને ઢાંકી (છૂપાવી) દે છે અને થોડાક જ્ઞાનની પ્રાપ્તિમાં નડતરરૂપ બને છે, તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના બંધનનાં કારણ જે કારણોથી જ્ઞાનાવરણીય કર્મનું પરમાણુ આત્માથી સંયોજિત થઈને જ્ઞાન-શક્તિને કુંઠિત કરે છે, તે ૬ (છ) છે. ૧. પ્રદોષ - જ્ઞાનીની નિંદા કરવી અને એના અવગુણ બતાવવા. Jain Education International 2010_03 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy