________________
દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ
પુદગલ
વર્ણપરિણત
ગંધપરિણત રસપરિણત
સ્પર્શપરિણત
સંસ્થાનપરિણત
આ પ્રત્યેક દ્રવ્યના સ્થાનાદિ ભેદે જે વિવિધ પર્યાયોનું અહીં નિરૂપણ થયું છે, આશ્ચર્યજનક છે. અત્યંત સૂક્ષ્મતા, ગહનતા અને ક્રાન્તદર્શિતા વડે પૂજય તીર્થંકર સ્વામીએ સકળ લોકનું જે ચિત્ર સૂત્રાત્મકરૂપે અહીં પ્રગટ કર્યું છે, તેનું સા૨૨હસ્ય પામવું મુશ્કેલ છે. જેમ કે મનુષ્યોના ભેદ જણાવતા તેના બે પ્રકાર દર્શાવ્યા છે ઃ સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. દેવોના ચાર પ્રકાર છે ઃ ભવનગામી, વ્યંતર, જ્યોતિષ્ઠ અને વૈજ્ઞાનિક. પૃથ્વીકાયિક, વનસ્પતિકાયિક વગેરેના તો અસંખ્ય ભેદો વર્ણવ્યા છે. તે દરેકનાં સ્થાનો, સ્થિતિ, અલ્પબાહુત્વ, સંખ્યાવિશેષ, વ્યુત્ક્રાન્તિ, ઉચ્છવાસ વગેરે વિશે વિસ્તારથી માહિતી આપી છે.
૧૧૧
દસ સંજ્ઞાઓ : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓથ સંજ્ઞા તેમનું વિશદ વર્ણન અને તેના ઉપયોગ વિશેની તલસ્પર્શી માહિતી અહી મળે છે.
વિવિધ દૃષ્ટિએ યોનિના પ્રકાર આ પ્રમાણે છે
યોનિ
શીત ઉષ્ણ શીતોષ્ણ સંવૃત્ત વિવૃત્ત સંવૃત્તિવિવૃત્ત કર્યોન્નતા સંખાવર્તા વંશીપત્રા
સચિત્ત અચિત્ત મિશ્ર
પૃથ્વીના આઠ પ્રકાર ગણાવીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ - એ શરીરના ભેદોનું પણ અહીં દ્રવ્યાનુયોગ સંદર્ભે વર્ણન ઉપલબ્ધ થાય છે. પરિણામ, ઇન્દ્રિયો, ઉદ્દેશ, પંદર પ્રકારના પ્રયોગો, છ પ્રકારની લેશ્યાઓ, બાવીસ પ્રકારની કાર્યસ્થિતિ, અન્તક્રિયા-ચ્યવન-ઉત્પત્તિ; સંસ્થાન, ક્રિયાઓ, આઠ પ્રકારની કર્મપ્રકૃતિ; આહાર, ભવ્ય, સંજ્ઞા, લેશ્યા, દૃષ્ટિ સંઘત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ વગેરેના સંદર્ભમાં જીવ દ્રવ્યનું કરેલું વિસ્તૃત નિરૂપણપ્રજ્ઞાપના ખૂબ મહત્ત્વની અને નોંધપાત્ર છે.
જૈનદર્શનના દ્રવ્ય સિદ્ધાન્તનો સમગ્ર પરિચય અહીં ઉપલબ્ધ નથી. ધર્મ, અધર્મ, કાળ, પુદગલ અને આકાશ વિશેના કેટલાક ઉલ્લેખો માત્ર મળે છે. પણ વિવિધ દૃષ્ટિકોણથી થયેલી જીવદ્રવ્યની પ્રજ્ઞાપના જૈનધર્મનું એક વિશિષ્ટ પરિમાણ આપણી સમક્ષ પ્રગટ કરે છે.
Jain Education International2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org