SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા પન્નવણા-સુત્ત-પ્રજ્ઞાપનાસૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યોની પ્રજ્ઞાપના પ્રકાર, સ્થાન, સ્થિતિ, વિશેષ, વ્યુત્ક્રાન્તિ, સંજ્ઞા, યોનિ, ભાષા, શરીર, પરિણામ, લેશ્યા, કર્મબન્ધ..વગેરે ૩૬ પદોના સંદર્ભમાં વિસ્તાર અને અત્યંત સૂક્ષ્મપણે કરવામાં આવી છે. તેમાં જીવ અને અજીવની જે વિવિધ પ્રકારભેદે ચર્ચા કરવામાં આવી છે, તેનું નીચે પ્રમાણે પૃથ્થકરણ કરવાથી વિશેષ ગ્રાહ્ય બને તેમ છે : પ્રજ્ઞાપનાના મુખ્ય બે પ્રકાર છે. જીવ અને અજીવ. ૧૧૦ સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના છે : અસંસાર સમાપન્ન નારક તિર્યંચ મનુષ્ય દેવગતિ અનંતર સિદ્ધ પરંપરા સિદ્ધ જીવ અને અજીવ દ્રવ્યના અન્ય સૂક્ષ્મ વર્ગીકરણો પણ અહીં આપવામાં આવ્યા છે જેમકે, Jain Education International 2010_03 અરૂપી અજીવ પ્રજ્ઞાપના અજીવ પ્રજ્ઞાપના રૂપી અજીવ સંસાર સમાપન્ન જીવપ્રજ્ઞાપના એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચરિન્દ્રિય પંચેન્દ્રિય પૃથ્વીકાયિક અપ-કાયિક તેજકાયિક વાયુકાયિક વનસ્પતિકાયિક આ દરેકના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર ગણાવ્યા છે. અજીવ પ્રજ્ઞાપનાના બે પ્રકારો વર્ણવીને તેના સૂક્ષ્મ ભેદ પણ આ રીતે દર્શાવ્યા છે : અરૂપી અજીવ ધર્મ પ્રજ્ઞાપનાના દસ પ્રકાર છે : ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, અને ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશો અને કાળ. રૂપી અજીવ પ્રજ્ઞાપનાના ચાર પ્રકાર છે : સ્કંધો, સ્કંધ દેશો, સ્કંધ પ્રદેશો અને પરમણુ પુદગલો. પુદગલના પાંચ પ્રકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy