________________
દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ
અસ્તિત્વ છે. જીવ પુદગલના ગતિ અને સ્થિતિના બાહ્યરંગ હેતુને લીધે ધર્મ અને અધર્મનો સ્વીકાર કરવામાં આવે છે. સ્વભાવધર્મની દૃષ્ટિએ તેઓ ભિન્ન છે, લોકાકાશના એક જ ક્ષેત્રમાં તેમનું અસ્તિત્વ હોવાથી, એક ક્ષેત્ર હોવાથી અભિન્ન છે. સમસ્ત લોકમાં રહેલાં જીવ-પુદ્ગલોને ગતિ-સ્થિતિમાં સહાયક હોવાથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. લોકપ્રમાણ છે.
આ ધર્મ અને અધર્મ જીવ-પુદ્ગલોને ગતિ-સ્થિતિ કરવામાં હેતુભૂત કે પ્રેરક નથી. તે પોતે નિષ્ક્રિય છે, ઉદાસીન છે. પરંતુ સમસ્ત ગતિ અને સ્થિતિયુક્ત પદાર્થો પોતાના જ હેતુથી ગતિ કે સ્થિતિ કરે છે અને ધર્મ-અધર્મ તેમાં સહાયક કે આશ્રયરૂપ બને છે.
૧૦૯
આ ષટ દ્રવ્યાત્મક લોકમાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરો અવકાશ આપે છે, તે આકાશ છે, તે તેમને માટે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. જીવ વગેરે દ્રવ્યો (આકાશ સિવાયનાં) લોકાકાશમાં અસ્તિત્ત્વ ધરાવે છે. લોકથી ઉપરના ભાગમાં જેને અલોકાકાશ કહેવામાં આવે છે તે અનંત અને લોકથી અન્ય છે અને અનન્ય પણ છે. તેમાં ગતિ સ્થિતિ હોતી નથી. તેથી સિદ્ધ ભગવંતો ઊર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે બિરાજે છે. ગતિ-સ્થિતિનો હેતુ આકાશ વિશે નથી. ધર્મ તથા અધર્મ જ ગતિ અને સ્થિતિના હેતુરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે જ એક જ આકાશમાં અવગાહન કરીને સાથે રહેલાં હોવાને કારણે જ એકત્વવાળાં છે, પણ વ્યવહારમાં તેમના સ્વભાવધર્મગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વ ભિન્ન ભિન્ન હોવાથી એકબીજાથી ભિન્ન પણ છે. તેમના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે.
દ્રવ્યના રૂપમાં જે પરિવર્તન થાય છે અને સમય જે ઘટિકાદિ રૂપે જણાય છે તે વ્યવહારિકા છે, પણ તેના આધારભૂત દ્રવ્ય જે સ્વયં ઉપાદાનરૂપે પરિણમતા પદાર્થોને પરિણમન ક્રિયામાં ‘વર્તના’ રૂપે સહકારી થાય છે, તે નિશ્ચયકાળ છે. નિશ્ચય નય પ્રમાણે કાળ અણુરૂપ છે, રેતીના કણોની જેમ સ્વત્વ ગુમાવ્યા સિવાય તે સાથે રહી શકે છે. અન્ય દ્રવ્યોની જેમ કાળને અનેક પ્રદેશો નહિ હોવાથી તે ‘અનસ્તિકાય’ છે. તેને ‘અસ્તિકાય’ ની સંજ્ઞા આપવામાં આવી નથી.
આ દ્રવ્યોમાં આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે. પુદગલ દ્રવ્ય મૂર્ત છે. તેમાં જીવ ચેતન છે. આ લોકમાં ઇંદ્રિયો દ્વારા ગ્રાહ્ય પદાર્થો મૂર્ત છે. અને ઇંદ્રિયો દ્વારા જેનું ગ્રહણ થઈ શકતું નથી તે અમૂર્ત છે. જીવ સ્વરૂપે અમૂર્ત છે પણ પુદગલ દ્રવ્યોને સંયોગ થતા મૂર્ત બને છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યનું નિરૂપણ :
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું નિરૂપણ વિવિધ આગમગ્રંથોમાં થયું છે. તેમાં પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org