________________
૧૦૮
વિવિધા
૩.
પહેલાની અવસ્થાના ગુણપર્યાયો નાશ પામીને પરિણામી બીજી અવસ્થાના ગુણપર્યાયો રૂપે ઉદ્ભવે છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી, જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ-માનવ વગેરે પર્યાયો કે સ્વરૂપો છે. જીવ અજીવ દ્રવ્યનો પ્રકારભેદ વિશેષ પરિચય : જીવ : ૧. તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ-ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૨. જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે.
ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાથી અથવા કર્મફળ
ચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણવાળો છે. ૪. દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ – એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી
ચતુર્વિધ ભ્રમણવાળો છે. ૫. પારિણામિક, દારિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે
પંચાગ્ર ગુણપ્રધાન છે. જીવ ચાર દિશામાં અને ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી
છ અપક્રમસહિત છે. ૭. અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે.
જ્ઞાનવરણ વગેરે આ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત
હોવાને કારણે અષ્ટ આશ્રય છે. ૯. નવ પદાર્થ કે તત્ત્વો જીવ, અજીવ, પાપ, પુષ્ય, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ
અને મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ અર્થરૂપ છે. ૧૦. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, કીન્દ્રિય,
ત્રિદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત
અજીવ :
પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ સમગ્ર વસ્તુ એના અખંડ સ્વરૂપમાં સ્કંધ છે. તેના અર્ધ ભાગને દેશ કહે છે. દેશના અર્ધ ભાગને પ્રદેશ અને તેના છેવટના અવિભાગી ભાગને પરમાણુ કહે છે. તેમાં રસ, વર્ણ, ગ્રંથ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક જ પ્રકારના રસ કે વર્ણાદિથી યુક્ત હોય છે. પુદગલના છ પ્રકાર છે અને તેનાથી ત્રણ લોક ઉત્પન્ન થાય છે.
ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશેષતા પણ વર્ણવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે બને છે. માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org