________________
દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ
૧૦૭
- ઉમાસ્વાતિ સત દ્વારા દ્રવ્યની વ્યાખ્યા કરે છે – સતુ દ્રવ્ય લક્ષણમ્ સત્ દ્રવ્યનું લક્ષણ છે. જૈન દૃષ્ટિએ આ દ્રવ્યોને અસ્તિત્ત્વ છે - સત્તા છે. તેથી તેને અતિ કહેવામાં આવે છે. તેને અનેક પ્રદેશો હોવાથી તને કાય (અનેક પ્રદેશોનો સમૂહ) પણ કહેવામાં આવે છે. આમ દ્રવ્ય તે અસ્તિકાય છે. પ્રદેશ એટલે પુદ્ગલના એક અવિભાજય પરમાણુ દ્વારા રોકાયેલો હોય એવો અવકાશાદિકનો એક ભાગ. પુદગલનો એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રોકે તે પ્રદેશ કહેવાય છે. આ રીતે જે દ્રવ્યોમાં એક કે અસંખ્ય પ્રદેશ હોય છે તેને અસ્તિકાય કહેવાય છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને અનેક પ્રદેશો હોવાથી તે અસ્તિકાય છે, જ્યારે કાળને પ્રદેશ નહિ હોવાને કારણે તે અનસ્તિકાય છે.
શ્રી કુંદકુંદાચાર્ય પંચાસ્તિકાયમાં સત્માં રહેલા જે સદભાવપર્યાયો છે તેને જે દ્રવે છે તે દ્રવ્ય એવી પરિભાષા આપી છે. સદૂભાવપર્યાયોને અર્થાત સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે, તે દ્રવ્ય છે. અથવા તો કે સત્ લક્ષણવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યથી યુક્ત છે અથવા જે ગુણપર્યાયોનો આશ્રયરૂપ છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે.
પણ દ્રવ્યાર્થ પર્યાયાર્થની અપેક્ષાથી દ્રવ્યના બે ભાગ પાડ્યા છે. શુદ્ધ નયની દષ્ટિએ સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોના સભાવરૂપ અને ત્રણે કાળ ટકનારાં દ્રવ્યનો વિનાશ કે ઉત્પત્તિ શક્ય નથી, તે અનાદિ અનંત છે. પણ તેના પર્યાયોમાંસહવર્તી પર્યાયોમાં પ્રૌવ્યના ગુણ સાથે વિનાશ અને ઉત્પાદ પણ સંભવે છે, તેથી તે વિનાશ અને ઉત્પાદથી યુક્ત છે. તેથી દ્રવ્ય દ્રવ્યાર્થિક દષ્ટિએ વિનાશરહિત ઉતાપદરિહત અને સત્ સ્વભાવવાળુ છે અને તે જ પર્યાયાર્થિક કથનથી ઉત્પાદવાળું અને વિનાશવાળું
દ્રવ્ય અને પર્યાયનો અપૃથકભાવ દર્શાવવામાં આવ્યો છે તેવી જ રીતે દ્રવ્ય અને ગુણનો પણ વસ્તુપણે અભેદ છે.
દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દષ્ટિએ અને સપ્તભંગીના સંદર્ભમાં પણ વર્ણવવામાં આવ્યું છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ-સ્વશક્તિ.
આ દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. ભાવ, જે સત્પણે પ્રવર્તે છે, અસ્તિત્ત્વ ધરાવે છે, તેનો દ્રવ્યસ્વરૂપે વિનાશ થતો નથી. એવી જ રીતે જે અભાવ છે, તેની દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ નથી. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે. તે ગુણપર્યાયોનું સ્વરૂપની દૃષ્ટિએ પરિવર્તન છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org