________________
૧૦૬
વિવિધા
આ ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ સહજ રીતે આવિર્ભત થયેલો છે.
શ્રીમદ્ રાજચંદ્રએ દ્રવ્યાનુયોગની મુક્ત કંઠે પ્રશંસા કરતા શ્રી ધારશીભાઈના પત્રમાં તેની ગંભીરતા, તેની સૂક્ષ્મતા, તેનું યથાર્થ પરિણમવું, તેને માટેની યોગ્યતા તથા માહાભ્ય નીચે પ્રમાણે વર્ણવ્યાં છે.
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગ પ્રાપ્ત થાય છે...સમાધિનું રહસ્ય એ જ છે, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એ જ છે.”
દ્રવ્યાનુયોગ સંદર્ભે અન્ય ગ્રંથોની અપેક્ષાએ શ્રી નેમિચંદ્રસિદ્ધાન્તિદેવકૃત દ્રવ્યસંગ્રહ અને શ્રી કુંદકુંદાચાર્યકુક્ત પંચાસ્તિકાય મહત્ત્વના ગ્રંથો છે. દ્રવ્યની પરિભાષા અને પ્રકાર :
દ્રવ્યાના મુખ્ય બે પ્રકાર છે : જીવ અને અજીવ, અજીવના પાંચ પ્રકાર છે: પુગલ, ધર્મ, અધર્મ આકાશ અને કાળ. તેને આ પ્રમાણે દર્શાવી શકાય.
દ્રવ્ય
જીવ
અંજીવ
1
.
પુદગલ ધર્મ અધર્મ આકાશ કાળ શ્રીમદ્ રાજચંદ્રએ અતિ સંક્ષેપમાં દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ આ રીતે સમજાવ્યું
છે.
વિશ્વ અનાદિ છે. આકાશ સર્વવ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. જડ ચેતનાત્મ સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org