SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વિવિધા સ્પર્શ), ૩. શારીરિક મળોના દુર્ગન્ધયુક્ત હોવું (અનિષ્ટ ગંધ), ૪, જૈવીય રસોની અસમુચિતતા (અનિષ્ટ રસ), ૫. અપ્રિય સ્પર્શ, ૬. અનિષ્ટ ગીત, ૭. અંગોનું સમુચિત સ્થાન પર ન હોવું (અનિષ્ટ સ્થિતિ), ૮. સૌંદર્યનો અભાવ, ૯, અપયશ, ૧૦. પુરુષાર્થ કરવાની શક્તિનો અભાવ, ૧૧. હીન સ્વર, ૧૨. દીન સ્વર, ૧૩. અપ્રિય સ્વર અને ૧૪ અકાન્ત સ્વર. ૭. ગોત્ર કર્મ : જેના કારણે વ્યક્તિ પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે, તે ગોત્ર કર્મ છે. આ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે : ૧. ઉચ્ચ ગોત્ર (પ્રતિષ્ઠિત કુળ), ૨. નીચ ગોત્ર (અપ્રતિષ્ઠિત કુળ). (૧) કેવા પ્રકારના આચરણના કારણે પ્રાણીનો અપ્રતિષ્ઠિત કુળમાં જન્મ થાય છે અને ક્યા પ્રકારના આચરણથી પાણીનો પ્રતિષ્ઠિત કુળમાં જન્મ થાય છે, આના પર જૈનાચાર દર્શનમાં વિચાર કરવામાં આવ્યો છે. અહંકારવૃત્તિ જ એનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રના કર્મબંધનાં કારણ - નીચેની આઠ વાતનો અહંકાર ન કરવાવાળા વ્યક્તિ ભવિષ્યમાં પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે – ૧. જાતિ, ૨. કુળ,૩. શક્તિ (શારીરિક), ૪. રૂપ (સૌંદર્ય), ૫. તપસ્યા (સાધના), ૬. જ્ઞાન (શ્રત), ૭. લાભ (પ્રાપ્તિ), ૮. સ્વામિત્વ (અધિકાર). એનાથી વિપરિત જે વ્યક્તિ ઉપર્યુક્ત આઠ પ્રકારના અહંકાર કરે છે તે નીચે કુળમાં જેન્મ લે છે. (૨) કર્મગ્રંથ અનુસાર પણ અહંકારરહિત ગુણગ્રાહી દષ્ટિવાળા, અધ્યયન-અધ્યાપનમાં રસ રાખનાર, તથા ભક્ત ઉચ્ચ ગોત્રને પ્રાપ્ત કરે છે અને એના વિપરીત આચરણ કરનાર નીચ ગોત્રને પ્રાપ્ત કરે છે. (૩) તત્વાર્થસૂત્ર અનુસાર પર નિન્દા, આત્મપ્રશંસા, બીજાના સદગુણોનું છૂપાવવા અને અસદગુણોનું પ્રકાશિત કરવા અને નમ્રવૃત્તિ અને નિરભિમાનતા આ ઉચ્ચ ગોત્રના બંધન ઉદ્દેશ છે. ગોત્ર-કર્મનો વિપાક : વિપાક (ફળ) દૃષ્ટિથી વિચાર કરો અને ધ્યાનમાં રાખવું જોઈએ કે જે વ્યક્તિ અહંકાર નથી કરતો, તે પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લઈને નીચેની આઠ ક્ષમતાઓથી યુક્ત હોય છે -૧. નિષ્કલંક માતૃ-પક્ષ (જાતિ), ૨. પ્રતિષ્ઠિત પિતૃ-પક્ષ (કુળ), ૩. અશક્ત શરીર, ૪. સૌંદર્યયુક્ત શરીર, ૫. ઉચ્ચ સાધના અને તપ-શક્તિ, ૬. તીવ્ર બુદ્ધિ અને વિપુલ જ્ઞાન, ૭. લાભ ને વિવિધ પ્રાપ્તિ અને ૮, અધિકાર, સ્વામિત્વ અને ઐશ્વર્યની પ્રાપ્તિ. પરંતુ અહંકારી વ્યક્તિત્વ ઉપર્યુક્ત સર્વ ક્ષમતાઓથી અથવા એમાં કોઈ વિશેષ ક્ષમતાઓથી વંચિત રહે છે. ૮. અન્તરાય કર્મ : અભીષ્ટની પ્રાપ્તિમાં નડતરરૂપ થનાર કારણને અન્તરાય કર્મ કહેવાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy