SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પર્વ-પ્રવચનમાળા “તારા પણ ગુરુ છે?” હા, જહાંપનાહ. મારા ગુરુદેવ છે, અત્યારે ગુજરાતમાં વિચારે છે. તેમનું નામ છે આચાર્ય હીરવિજયસૂરીશ્વરજી. તેમની મારા ઉપર પરમ કૃપા છે. તેમની જ શક્તિથી હું આ ઉપવાસ કરી શકી છું.” અકબરનું નિમંત્રણ: અકબરે આચાર્યદિવનું નામ યાદ કરી રાખ્યું. બંને અગ્રણી શ્રાવક માનુકલ્યાણ અને થાનસિંગ ત્યાં ઉપસ્થિત હતા. અકબરે એ બે જણને કહ્યું: ‘ગુરુદેવશ્રી હીરવિજયસૂરીશ્વરને અહીં પધારવા જૈનસંઘ વતીથી તમે પત્ર લખો અને હું પણ લખું છું. આવા મહિમાવંત ગુરુદેવનાં દર્શન કર્યા વગર મને ચેન નહીં પડે. હા, ગુરુદેવ આપણી વિનંતીથી અહીં પધારશે તો ખરાને? અવશ્ય પધારશે જહાંપનાહ, ગુરુદેવ તો કરુણાનો અવતાર છે.' માનુકલ્યાણ અને થાનસિંગે અકબરને વિશ્વાસ આપ્યો અને એમણે ગુરુદેવને દિકર પધારવા માટે વિનંતી-પત્ર લખ્યો. અકબરે ય વિનંતીપત્ર લખ્યો. મોંદી અને કમાલ નામના બે અનુચરો સાથે બંને પત્રો અમદાવાદ શિબાહખાનને મોકલ્યા. સાથે શિબાહખાનને પણ પત્ર લખ્યો કે, “ગુરુદેવ હીરવિજયસૂરિજીને હાથી, ઘોડા વગેરે વૈભવ સાથે દિલ્હી મોકલવા. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ.” મોદી અને કમાલ પત્ર લઈને અમદાવાદ પહોંચ્યા. શિહાબખાનને પત્ર આપ્યો. પત્ર વાંચીને શિહાબખાન સ્તબ્ધ થઈ ગયો. તેના ચિત્તમાં ભૂતકાળની સ્મૃતિઓ ઊભરાઈ આવી. ખાનને પરસેવો છૂટી ગયો. તેણે અમદાવાદના જૈનસંઘના પ્રમુખ માણસોને બોલાવ્યા. વચ્છરાજપારેખ, મૂલાશેઠ, નાનાબાપુ શેઠ અને કુંવરજી ઝવેરી આવ્યા. ખાને સ્વાગત કર્યું અને આચાલિના નામે અકબરનો પત્ર તથા જૈનસંઘનો પત્ર - બંને પત્રો તેણે શ્રાવકોને વંચાવ્યા, શ્રાવકગણ આનંદિત થયો. ખાને કહ્યું : ગુરુદેવ અત્યારે ક્યાં બિરાજે છે ?' વચ્છરાજપારેખે કહ્યું: “અત્યારે ગુરુદેવ ગન્ધારનગરમાં બિરાજમાન છે.' ખાને કહ્યું: ‘તમે આ પત્ર લઈને ગધાર જાઓ અને ગુરુદેવને અમદાવાદ થઈને દિલ્હી જવાનું નિમંત્રણ આપો.' ચારે શ્રાવકો કુંવરજી ઝવેરીની હવેલીએ મળ્યા. અકબરના નિમંત્રણ ઉપર વિચારણા કરી. ખંભાતના સંઘને પણ ગંધાર પહોંચવાની સૂચના આપવામાં આવી. બીજે જ દિવસે વચ્છરાજ પારેખ વગેરેએ ગંધાર તરફ પ્રયાણ કરી દીધું. ખંભાત સૂચના પહોંચતાં જ સંઘવી ઉદયકરણ, પારેખ વજિયા, પારેખ રાજીયા અને રાજા શ્રીમલ્લ વગેરે ગંધાર માટે રવાના થઈ ગયા. બંને સંઘરવાળા ગંધાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy