SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ – દિન ૮૩ અને ત્યાંથી તરત જ નીકળી પડયા. રાઘવ ગંધર્વને હાથ ઉપર ઘા તો વાગ્યો, પરંતુ . ખુશ હતો. પેલા સૈનિકોએ જઈને શિહાબખાનને આખી વાત કરી. ખાન વધારે ગુસ્સામાં આવી ગયો. કેટલાક દિવસો સુધી અમદાવાદમાં આ ગરમ ચર્ચા ચાલતી તે રહી. આચાર્યદેવે દક્ષિણ ગુજરાત તરફ વિહાર કર્યો. ઉપદ્રવ શાન્ત થઈ ગયો. વિશાળ મુનિવૃંદને સંયમ ધર્મની આરાધનામાં પ્રવૃત્ત કરતા આચાર્યદેવ વિચરવા લાગ્યા. ચંપા શ્રાવિકા : એ સમયે ફ્તેહપુર સિક્રી (દિલ્હી) માં એક અદ્ભુત ઘટના બની. ‘ચંપા' નામની શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા. તપશ્ચર્યાના થોડાક જ દિવસો બાકી હતા. શ્રી જૈન સંઘે તપસ્વિની ચંપા શ્રાવિકાનું બહુમાન કરવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. હજારો સ્ત્રી-પુરુષો શોભાયાત્રામાં સામેલ થયાં. જ્યારે શોભાયાત્રા રાજમહેલ આગળથી પસાર થતી હતી ત્યારે રાજમહેલના ઝરુખામાં બેઠેલા અકબરે શોભાયાત્રા જોઈ. તેણે પાસે બેઠેલા પરિચારકને પૂછયું ઃ ‘આ સરઘસ શા માટે નીકળ્યું છે ?' પરિચારિકે જવાબ આપ્યો. મહારાજ, ચંપા નામની એક જૈન સ્ત્રીએ ૬ માસના ઉપવાસ કર્યા છે. તે તપશ્ચયનેિ નિમિત્તે આ સરઘસ કાઢવામાં આવ્યું છે. જૈન ધર્મના ઉપવાસ ખૂબ કષ્ટદાયી હોય છે.’ અકબર આશ્ચર્યચક્તિ થઈ ગયો. તેણે માનુકલ્યાણ અને થાનસિંગ નામના બે જૈન આગેવાનોને બોલાવ્યા, ચંપા શ્રાવિકાના ૬ મહિનાના ઉપવાસ અંગે પૂછ્યું અને ચંપાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને શ્રાવકોએ જૈન ધર્મના ઉપવાસનું સ્વરૂપ સમજાવ્યું અને ચંપા શ્રાવિકાની મુલાકાત કરવાનો સમય નિશ્ચિત કર્યો. અકબરના ચિત્તમાં ૬ મહિનાના ઉપવાસની વાત ઘૂમવા લાગી. એક સુંદર ડોલીમાં બેસાડીને ચંપા શ્રાવિકાને અકબરની સામે લાવવામાં આવી. અકબરે ઊભા થઈને ચંપાનું સ્વાગત કર્યું. ચંપાનું શરીર કૃશ થઈ ગયું હતું. પરંતુ તેના મુખ ઉપર અપૂર્વ તેજ ચમકી રહ્યું હતું. તે સ્વસ્થ હતી, શાન્ત હતી અને પ્રસન્નમુખ હતી. અકબરે બેસવા માટે ઉચિત આસન આપ્યું અને પૂછ્યું : ‘તેં ૬ મહિનાનાં રોજા કર્યા છે, એવું મેં સાંભળ્યું છે.’ ‘હા, જહાંપનાહ’ ચંપાએ ઉત્તર આપ્યો. ‘પરંતુ આવા કઠોર ઉપવાસ તેં કેવી રીતે કર્યા ?” ‘ગુરુદેવની કૃપાથી...’ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy