SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા જુઓ, મુસલમાન સુબાની સરમુખત્યારશાહી ! ન કોઈ પૂછપરછ ! ન કોઈ જાણકારી મેળવવાની વાત ! ન બુદ્ધિમત્તા ! નહીંતર કલાખાન ઉદયપ્રભને કહી શકત કે “મહારાજ, આપ પણ મોટા માંત્રિક છો, હીરવિજયસૂરિએ વરસાદ રોકયો છે તો આપ આપની મંત્રશક્તિથી વરસાદ વરસાવો.” આ બાજુ સૈનિકોએ જઈને કુણઘેરને ઘેરો ઘાલ્યો. પરંતુ તેની પહેલાં જ ગુરુદેવ તો રાત્રે કુણઘેરની બહાર નીકળી ગયા હતા, અને વડાવલી પહોંચી ગયા હતા. એ વડાવલીમાં જ ગુરુદેવ આચાર્યશ્રી દાનસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થયો હતો. એ સમયે વડાવલીમાં તોલા' નામે એક ધનવાન અને બળવાન શ્રાવક રહેતા હતા. તેમણે પોતાના ઘરમાં આચાદવને આશ્રય આપ્યો અને ત્રણ મહિના સુધી કલાખાનના સૈનિકો સામે આચાર્યદિવની રક્ષા કરી. આવા વીર હતા શ્રાવકો, સાધુ પુરુષોની રક્ષા કરનારા ! હવે એક ચોથી આપત્તિ બતાવીને આપત્તિઓનું વર્ણન પૂર્ણ કરીશ. આચાર્યદેવ અમદાવાદમાં બિરાજતા હતા. આચાર્યદિવ પ્રત્યે અકારણ વેરભાવ રાખનાર કોઈકે અમદાવાદના સુબા શિહાબખાનની પાસે જઈને કહ્યું : “હીરવિજયસૂરિએ મંત્રશક્તિથી વરસાદને રોકયો છે.' શિહાબખાને આચાર્યદેવને બોલાવ્યા. આચાર્યદેવ ગયા. શિહાબખાને પૂછયું. મહારાજ, વરસાદ કેમ નથી આવતો? શું આપે વરસાદને બાંધ્યો છે?” આચાદવે કહ્યું: ‘મહાનુભાવ, અમે વરસાદ શા માટે રોકીએ? પ્રજાને શાતિસુખ ન મળે તો અમને શાન્તિ કેવી રીતે મળે? પ્રજાને ધાન્યન મળે તો અમને ભિક્ષા કયાંથી મળશે ?' આ વાત ચાલતી હતી તેટલામાં અમદાવાદના શાહસોદાગર-વેપારી કુવરજી ત્યાં આવી પહોંચ્યા, શિહાબખાન કુંવરજીનું માન રાખતો હતો. કુંવરજીએ શિહાબખાનને જૈન સાધુના આચાર-વિચાર સમજાવ્યા, આચાર્યદિવ ઉપાશ્રયે આવી ગયા. કુંવરજીએ તત્કાલીન પરિસ્થિતિને જોઈને પ્રજાનો પ્રેમ જીતવો આવશ્યક માન્યો. એટલા માટે તેમણે દાન આપવાની શરૂઆત કરી. પ્રજાની કુંવરજી પ્રત્યે ચાહના વધવા લાગી. પરંતુ એક દિવસે સેનાના અધિકારી સાથે કુંવરજીને ઝઘડો થઈ ગયો. એ અધિકારીએ કોટવાલની કાનભંભેરણી કરી. કોટવાલે જઈને શિહાબખાનને આચાર્યદેવ વિરુદ્ધ વાતો કરી. ખાને પોતાના બે ત્રણ સૈનિકો મોકલ્યા આચાર્યદિવને પકડી લાવવા માટે. એ સૈનિકોએ ઝવેરીવાડમાં આવીને આચાર્યદિવને પકડી લીધા. પરંતુ એ સમયે રાઘવ ગંધર્વ અને સોમસાગર નામના બે ગૃહસ્થો વચમાં કૂદી પડયા. સૈનિકો સાથે ઝપાઝપી થઈ ગઈ. આચાર્યદવ મુક્ત થઈ ગયા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy