SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ - દિન સુધી સંતાડી રાખ્યા. એ સમયે સમગ્ર ભારતમાં મુસલમાન બાદશાહનું રાજ્ય હતું. ગામ, નગરોમાં ન્યાય તોળાતો ન હતો. હિન્દુઓ ઉપર ત્રાસ છવાયેલો રહેતો હતો. મુસલમાન સુબાઓનો ત્રાસ કંઈક વિશેષ રહેતો હતો. જૈન સંઘના અગ્રણીઓએ જઈને શિતાબખાનને સાચી વાત કરી અને ‘વોરંટ’ પાછું ખેંચાવ્યું; એ પછી આચાર્યદેવે ખંભાતથી વિહા૨ કર્યો. હવે બીજી આફતની વાત કરું છું. આચાર્ય બોરસદ પધાર્યા. બોરસદ ખંભાતથી વધારે દૂર નથી, બોરસદમાં એક જગમાલ નામનો એકલો સાધુ રહેતો હતો. એ કર્ણઋષિ નામના મહાત્માનો શિષ્ય હતો. તેણે જઈને આચાર્યદેવને કહ્યુઃ ‘મારા ગુરુ મને ગ્રંથો નથી આપતા.' આચાર્યદેવે કહ્યું ઃ ‘તારા ગુરુ તારામાં યોગ્યતા નહીં જોતા હોય.' આચાર્યદેવે જગમાલને ગુરુઆજ્ઞામાં રહેવા ખૂબ સમજાવ્યો; પરંતુ તે સંમત ન થયો. એટલું જ નહીં, આચાર્યદેવ પ્રતિ રોષાયમાન થઈ ગયો. એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે ૩પદેશો ફ્રિ મૂર્છાળાં પ્રોપાવ ખાયતે । મૂર્ખ માણસને ઉપદેશ આપવાથી તે ગુસ્સે થાય છે; ઉપદેશ આપનારને પરેશાન કરે છે. ૮૧ જગમાલ પેટલાદ ગયો. ત્યાંના મુસલમાન હાકેમ પાસે જઈને આચાર્ય વિરુદ્ધ વાતો કરી અને આચાર્યદેવને પકડવાનું ‘વોરંટ’ કઢાવ્યું. બોરસદના શ્રાવકોએ જઈને હાકેમને સમજાવ્યો અને વોરંટ રદ કરાવ્યું. હવે ત્રીજી આપત્તિનો કિસ્સો ય સાંભળી લો. પાટણ (ગુજરાત)ની પાસે ‘કુણઘેર' નામનું ગામ છે. ત્યાં આચાર્યશ્રી સોમસુંદરસૂરિ રહેતા હતા. પર્યુષણાપર્વ પછી ત્યાં ઉદયપ્રભસૂરિ નામના ચિંત આવી પહોંચ્યા. પૂજ્ય આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પણ કુણઘેરમાં જ ચાતુર્માસ બિરાજતા હતા. યતિ ઉદયપ્રભસૂરિએ શ્રી હીરવિજયસૂરિને કહ્યું ઃ ‘તમે પણ સોમપ્રભસુંદરસૂરિને વંદન-ક્ષમાપના કરો.' આચાર્યદેવે કહ્યું : “મહાનુભાવ, એ અમારા ગુરુ નથી; અમે એમને વંદન ન કરી શકીએ.’ ઉદયપ્રભને ગુસ્સો આવ્યો. તે પાટણ ગયો. મંત્રતંત્ર જાણતો હશે. પાટણનો મુસલમાન સુબો કલાખાન ઉદપ્રભથી પ્રભાવિત હતો. કલાખાનની પાસે જઈને ઉદયપ્રભે કહ્યું : ‘શ્રી હીરવિજયસૂરિએ વરસાદ રોક્યો છે !' કલાખાન આ વાત સાંભળીને ભરમાઈ ગયો. તરત જ સો ઘોડેસ્વાર કુણઘેર મોકલીને આચાર્યદેવને પકડી લાવવા ‘વોરંટ’ કાઢ્યું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy