SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ-સ્વરોહણ - દિન પહોંચ્યા. પરમાત્માની પૂજા કરી, પ્રવચન સાંભળ્યું, ભોજન કર્યું અને પછી ગંધારના અગ્રણી શ્રાવકોને આખી વાત જણાવી. મધ્યાહ્ન સમયે ત્રણે સંઘના મુખ્ય શ્રાવકો આચાર્યદિવને મળ્યા. અકબરનો નિમંત્રણપત્ર તથા ફત્તેહપુર સિકીના જૈનસંઘનો વિનંતીપત્ર ગુરુદેવને આપ્યો. આચાર્યદવે બંને પત્રો વાંચ્યા. શ્રાવકોની સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરી અને દિલ્હી જવાનો નિર્ણય કર્યો. અમદાવાદ તરફ પ્રયાણ : પોષ વદિ સાતમ (ગુજરાતી માગશર વદિ ૭) ના દિવસે ગંધારથી વિહાર કર્યો. વટાદરા ગામે પધાર્યા. ત્યાં એક દિવ્ય ઘટના બની. રાતના સમયે આચાર્યદિવા અલ્પ નિદ્રામાં હતા, એ સમયે એક સ્વપ્ન આવ્યું. એક દિવ્ય શરીરધારી સ્ત્રી આવે છે, તેના હાથમાં મોતી અને કંકુ છે. તે ગુરુદેવને મોતીઓથી વધાવે છે અને કહે છેઃ હે આચાર્યદિવ, અકબર આપને સાચા હૃદયથી ચાહે છે. આપ મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન લાવો. આપ દિલ્હી પધારો અને જિનશાસનની શાન વધારો. ત્યાં આપની કીર્તિ ફેલાશે.” આટલું કહીને એ દિવ્ય સ્ત્રી અદ્ગશ્ય થઈ ગઈ. સ્વપ્ન પછી આચાર્યદિવ જાગૃત થયા અને શ્રીનવકારના ધ્યાનમાં નિમગ્ન બન્યા. પ્રાતઃકાળે એ જગામાં કંકુ અને મોતી વેરાયેલાં મળ્યાં. આચાર્યદિવે અમદાવાદ તરફ વિહાર આગળ ચલાવ્યો. કુંવરજી ઝવેરી વગેરેએ શિહાબખાનને આચાર્યદિવના આગમનના સમાચાર આપ્યા. શિહાબખાન હાથી, ઘોડા વગેરે લઈને ગુરુદેવની સામે આવ્યો. ગુરુદેવના ચરણોમાં પડયો. ખૂબ જ શરમાઈને બોલ્યોઃ ‘ગુરુદેવ, દિલ્હીથી જહાંપનાહનો હુકમ છે કે આપની સેવામાં હાથી, ઘોડા વગેરે આપ જે કંઈ આજ્ઞા કરો તે રજૂ કરવું. આપ હુકમ કરો. હું આપની સેવામાં ઉપસ્થિત છું. અને મારા તમામ ગુનાઓની માફી ચાહું છું.” ગુરુદેવે કહ્યું: “મહાનુભાવ, અમે જૈન સાધુ છીએ. અમારે હાથી, ઘોડા કશું ન જોઈએ. ધન-દોલત પણ ન જોઈએ. અમે સ્વેચ્છાથી સંસારના તમામ સુખો ત્યજ્યાં છે. બાદશાહ અકબરની વિનંતીથી અમે દિલ્હી જઈએ છીએ. તારે નિશ્ચિત રહેવું. તારા પ્રત્યે અમારા મનમાં કોઈ રોષ નથી. અમે શત્ર-મિત્રને સમાન માનીએ છીએ. સર્વ જીવોના સુખની કામના કરીએ છીએ.” શિહાબખાન આચાર્યદિવના ઉપદેશથી મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે આચાર્યદિવનું ભવ્ય સ્વાગત કર્યું. આચાદિવ અમદાવાદમાં વધારે દિવસ રોકાયા નહીં, તેમણે પાટણ તરફ વિહાર કર્યો. મોંદી અને કમાલવિહારમાં ગુરુદેવની સાથે ચાલતા હતા. સાત દિવસ ગુરુદેવ પાટણમાં રોકાયા. ત્યાંથી આચાર્યદિવ વડાવલી પધાર્યા. અહીં ગુરુદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજની ચરણપાદુકા સ્થાપિત કરી હતી. એ સમયે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy