SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ-સ્વગરિોહણ - દિન ૭૯ શતાબ્દીમાં દેવગિરિ પ્રકાંડ બ્રાહ્મણ વિદ્વાનોનું ધામ હતું. જો કે ત્યાં માળવાના મહામંત્રી પેથડશાહ દ્વારા નિર્મિત ભવ્ય જિનમંદિર હતું અને પૌષધશાળા પણ હતી. પરંતુ વિશેષ પ્રમાણમાં ત્યાં જૈન પરિવારો ન હતા. જ્યારે હીરહર્ષમુનિ દેવગિરિ પહોંચ્યા, બ્રાહ્મણ-પડિતને મળ્યા તો તેમણે ભણાવવા માટે તૈયારી બતાવી, પરંતુ વેતન (પગાર) ની વાત કરી તો ધર્મસાગરજી, રાજવિમલજી અને હીરહર્ષવિજયજી ત્રણે જણા એકબીજાનાં મોઢાં જોઈ રહ્યા....કારણ કે દેવગિરિમાં એવો એક પણ શ્રાવક પરિચિત ન હતો કે જેને પગાર અંગેની વાત કહી શકાય ! ત્રણે મુનિરાજો ઉપાશ્રયે આવ્યા. મૌન અને ચિંતામગ્ન ! એટલામાં ત્યાં એક શ્રાવિકા ગુરુવંદન કરવા આવી. કચ્છી ગુજરાતી મહિલા હતી એ. એનું નામ હતું જસમાઈ. વંદન કરતાં સમાઈએ ભાળી લીધું કે ત્રણે મુનિરાજો કોઈ ગૂંચવણમાં છે. તેણે વિનયપૂર્વક ચિંતાનું કારણ પૂછ્યું. શ્રી ધર્મસાગરજીએ આખી વાત કહી. જસમાઈએ કહ્યું: ‘ગુરુદેવ, આપ ચિંતા ન કરો બાલમુનિરાજનું અધ્યયન અહીં થશે. પંડિતજીને પગાર અમે આપીશું. પરંતુ હમણાં હું શ્રાવકને લઈને આવું છું.' જસમાઈના પતિનું નામ હતું દેવશીશાહ ખૂબ સજ્જન પુરુષ હતા. બંને જણાં ઉપાશ્રયે આવ્યાં અને તેમણે વિનંતી કરી કે પંડિતને વેતન આપવાનો પુણ્યલાભ અમને આપવા કૃપા કરો.” ત્રણે મુનિરાજને આનંદ થયો. એક મુનિરાજને જ્ઞાનદાન આપવાનો અર્થ થાય છે હજારો-લાખો લોકોને શાનદાન આપવું. જ્ઞાની બનેલા મુનિરાજ હજારો-લાખો લોકોને જ્ઞાનામૃત પાય છે ને ? એટલા માટે સાધુ- સાધ્વી ને જ્ઞાનાધ્યયનમાં સહયોગી બનવાની ભાવના રાખવી. જે પ્રકારે સહયોગી બની શકો તે રીતે તત્પરતા રાખવી જોઈએ. કેટલાંક વષ દેવગિરિમાં રહીને હીરદમુનિએ ષડ્રદર્શનનું સારું અધ્યયન કર્યું. પછી તેઓ ગુરુદેવશ્રી દાનસૂરિશ્વરજીની પાસે રાજસ્થાન પહોંચ્યા. પદપ્રાપ્તિઃ ગુરુદેવે હીરહર્ષમુનિની વિદ્વત્તા જોઈને વિ.સં. ૧૬૦૭ માં નાડલાઈ (રાજ.)માં તેમને પંડિત-પદથી વિભૂષિત કર્યા. એ જ નગરમાં વિ.સં. ૧૬૦૮માં માઘ શુક્લા પંચમીના દિવસે ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. વિ.સં.૧૬૧૦માં પોષ શુક્લા પંચમીના દિને સિરોહી (રાજ) નગરમાં મોટી ધામધૂમથી હીરહર્ષમુનિને આચાર્યપદ આપવામાં આવ્યું. અને તેમનું નામ રાખ્યું હીરવિજયસૂરિજી. તેઓ આચાર્ય બન્યા ત્યારે તેમની ઉંમર હતી ૨૭ વર્ષની. તે શાન્ત પ્રકૃતિના હતા. ઈન્દ્રિયવિજેતા હતા. અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવથી ભરેલા હતા. સમગ્ર જૈન સંઘ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy