SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ - દિન अज्ञानतिमिरान्धानां ज्ञानाग्जनशलाकया 1 नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥ અજ્ઞાનરૂપ અંધકારથી અંધ બનેલા જીવોનાં નેત્રોને જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉન્મીલિત ક૨ના૨ ગુરુદેવને નમસ્કાર હો. એક એવા મહાન સદ્ગુરુનો આજે સ્વર્ગારોહણ દિન છે કે જેમણે વિક્રમની ૧૭મી શતાબ્દીમાં જિનશાસનનો ઉજ્જવળ યશ સમગ્ર ભારતમાં ફેલાવ્યો હતો. અહિંસા ધર્મનો અદ્ભુત પ્રચાર કર્યો હતો. તેમણે મુસલમાન બાદશાહ અકબરનું હૃદયપરિવર્તન કરીને, તેનેય દયાધર્મનો પાલક બનાવ્યો હતો. તેમણે સ્વયં ઉત્કૃષ્ટ ચારિત્રધર્મનું પાલન કરીને અંદાજે બે હજાર સાધુ-સાધ્વીઓનું સુંદર યોગક્ષેમ કર્યું હતું. પોતાના જીવનમાં અનેક સંકટોને સહન કરતાં કરતાં, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવ્યો હતો અને અંતમાં મૃત્યુનો મહોત્સવ બનાવીને સ્વર્ગવાસી બન્યા હતા. એ મહાન ગુરુ હતા આચાર્યદેવશ્રી હીરવિજયસૂરિજી. ૧૭ કદાચ તમે લોકો આ મહાપુરુષના જીવનચરિત્રને, તેમની શાસન પ્રભાવકતાને અને દયાધર્મના પ્રચારને નથી જાણતા. આજ એ મહાપુરુષનો સ્વર્ગારોહણ દિવસ છે. એટલે એ બધી વાતો કરીને તેમના ગુણોનું કીર્તન કરીશું. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ‘ઉત્તમ પુરુષોના ગુણ ગાવાથી એ ગુણ આપણામાં આવે છે,' એટલા માટે સદાય જ્ઞાની, ધ્યાની, સંયમી, ધર્મ-પ્રભાવક એવા મહાપુરુષોના ગુણ ગાતા રહેવું જોઈએ. જન્મ અને દીક્ષા : આચાર્યદેવનો જન્મ વિ.સં. ૧૫૮૩માં માગશર સુદિ નવમીના દિવસે ગુજરાતના પાલનપુર નગરમાં થયો હતો. માતાનું ના! નાથીબાઈ હતું અને પિતાનું નામ કૂરાશાહ હતું. પરિવાર સંસ્કારી અને વૈભવશાળી હતો. કૂરાશાહને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ હતી. પુત્રોનાં નામ હતાં સંઘજી, સૂરજી, શ્રીપાલ અને હીરજી, પુત્રીઓનાં નામ હતાં રંભા, રાણી અને વિમલા. બધાં સંતાનો સુશીલ, ગુણવાન અને બુદ્ધિમાન હતાં. બધાં સંતાનોને યોગ્ય શિક્ષણ મળતું હતું. હીરજીની ઉંમર જ્યારે બાર વર્ષની હતી ત્યારે માતા નાથીબાઈનો અને પિતા કૂરાશાહનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિરવાર ૫૨ જાણે વજ્રાઘાત થયો. બાર વર્ષનો હીરજી માતા-પિતાના અભાવે શૂન્યમનસ્ક જેવો થઈ ગયો. બહેનો રાણી અને વિમલાનાં લગ્ન પાટણમાં થયાં હતાં. તેમને સમાચાર મળ્યા કે હીરજી ખાતો નથી, સૂતો નથી. રડી રડીને તેની આંખો સૂઝી ગઈ છે. બહેનો તરત જ પાલનપુર આવી અને હીરજીને પાટણ લઈ ગઈ. હીરજીને રાણી અને વિમલા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy