SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ૭૫ નિર્ભય થઈને ગુરુદેવ પાસે જવું અને આલોચના કરીને આત્મશુદ્ધિ કરવી. જ્યારે ગુરુદેવની પાસે પાપ-પ્રકાશન કરશો ત્યારે ગુરુદેવ તમને પ્રાયશ્ચિત્ત આપશે. કોઈક પ્રાયશ્ચિત્ત કરવાનું કહેશે અથવા કેટલોક જાપ કરવા કહેશે. અથવા તો કેટલાક સ્વાધ્યાય કરવાનું કહેશે. તમારે એ પ્રાયશ્ચિત્ત કરવું; તમારો આત્મા નિર્મળ બનશે. આ કર્તવ્ય વાર્ષિક એટલા માટે બતાવ્યું છે કે ઓછામાં ઓછી એકવાર તો માણસે આલોચના ક૨વી જ રહી. જો અનુકૂળતા હોય (સદ્ગુરુનો સંયોગ મળે) તો પ્રતિમાસ આલોચના કરવી જોઈએ. શરીરને સાફ રાખો છો ને ? એ રીતે હૃદયને પણ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે સંક્ષેપમાં વાર્ષિક અગિયાર કર્તવ્યોનું વિવેચન કર્યું. આ કર્તવ્યોનું પાલન ક૨વા માટે તમારે એ કર્તવ્યોનાં નામ ડાયરીમાં લખી લેવાં. કાલે મહાપવિત્ર ‘શ્રી કલ્પસૂત્ર' પર પ્રવચન શરૂ થશે. કલ્પસૂત્રનાં પ્રવચન પ્રતિવર્ષ સંભળાવવામાં આવે છે. કારણ કે મુખ્યતયા કલ્પસૂત્રમાં આપણા પરમોપકારી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું જીવનચરિત્ર હોય છે. જે તીર્થંકર ભગવંતોનું ધર્મશાસન આપણને મળ્યું છે, જેમની પરમકૃપાને લીધે આપણને સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ મળ્યો છે, તેમનું જીવનચરિત્ર વર્ષમાં એકવાર તો અવશ્ય સાંભળવું જોઈએ. પ્રેમથી, શ્રદ્ધાથી અને એકાગ્રતાથી સાંભળવું જોઈએ. પર્યુષણપર્વના દિવસોમાં ઉપાશ્રયોમાં પણ જ્યાં પ્રવચનો થાય છે, ત્યાં ખૂબ ભીડ થાય છે. છતાં શાન્તિ જાળવવી જોઈએ. ત્યાં નાનાં બાળકોને ન લાવવાં જોઈએ. પ્રવચન દરમ્યાન પરસ્પર વાર્તાલાપ ન કરવો જોઈએ. અવિવેક, કોલાહલ...વગેરેથી પરેશાન થઈને કેટલાંક ભાઈ બહેનો ઉપાશ્રયમાં આવતાં નથી. તેઓ ચાલ્યા જાય છે ગૃહસ્થોની પ્રવચનમાળામાં ! તેઓ કલ્પસૂત્રના શ્રવણથી વંચિત રહી જાય છે. સદ્ગુરુઓના પરિચયથી વંચિત રહી જાય છે. કોઈકોઈ વાર જિનવચનથી વિરુદ્ધ-વિપરીત મિથ્યા વાતો સાંભળે છે, એટલા માટે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે. એટલી શાન્તિ રાખવી જોઈએ કે બધાંને પ્રવચન સંભળાય. આ રીતે આજ પર્યુષણપર્વના પ્રથમ ત્રણ દિવસનાં પ્રવચન પૂર્ણ થાય છે. ૬ દૈનિક કર્તવ્યો, ૫ પર્યુષણપર્વનાં કર્તવ્યો, અને ૧૧ વાર્ષિક કર્તવ્યોનું પાલન કરવા માટે શક્તિમાન બનો. એવી મંગલ કામના. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy