SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પર્વ-પ્રવચનમાળા દોષ પણ રહી જાય છે તો તે જીવને સંસારમાં ભટકાવનારો બને છે.” ‘ગુરુદેવ, આપ જેવા જ્ઞાની મહાપુરુષની સામે હું શા માટે એક દોષ પણ છુપાવું? જે કોઈ પાપ મારાથી થઈ ગયાં છે એ બધાં પાપ મેં આપની સમક્ષ પ્રકટ કરી દીધાં છે. મારે ભવસાગર તરવો છે. આપ જેવા મારી જીવનનૌકાના ખલાસી મળી ગયા...પ્રભુ, મને પાર ઉતારો.” રુક્મિની આંખોમાં આંસુ આવી ગયાં. આચાર્યદિવે કહ્યું: “મિ, તું એક પાપ છુપાવી રહી છે. એ પાપ હતું દ્રષ્ટિદોષનું. જ્યારે હું રાજકુમાર હતો. તું રાજ-સિંહાસન ઉપર બેઠી હતી. હું તારી રાજસભામાં આવ્યો હતો, યાદ છે તને? એ સમયે તેંમારી સામે જોયું હતું. તારી આંખોમાં વિકાર હતો ને?' રુક્તિએ કહ્યું: ‘ગુરુદેવ, સાચી વાત છે આપની, પરંતુ મેં તો આપની પરીક્ષા કરવા માટે કટાક્ષ ફેંક્યો હતો. મારા મનમાં વિકાર ન હતો.” મહાનિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે, કે રુક્તિ સાધ્વીએ કપટથી દ્રષ્ટિદોષના પાપને છુપાવ્યું. ફલસ્વરૂપ એ સંસારની ગતિઓમાં દીર્ધકાળ સુધી ભટકતી રહેશે એટલે કે જન્મમરણ કરતી રહેશે. મિ સાધ્વી હતી. તેણે મહાવ્રતોનું વિશુદ્ધ પાલન કર્યું હતું. છતાં પણ પાપ છુપાવવાથી તે સંસારમાં ભટકાઈ પડી. તમારા લોકોના જીવનમાં મહાવ્રતોનું પાલન તો નથી, પણ ગૃહસ્થ જીવનનાં વ્રતોનું ય પાલન છે ખરૂ? અને હૃદયમાં કેટલાં પાપ છુપાવીને જીવી રહ્યા છો? મરીને ક્યાં જશો? શાન્ત ચિત્તે વિચાર કરજો. પાપોની આલોચના કરીને પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. સભામાંથી પાપોનું આલોચન શું દરેક મુનિરાજની સામે કરી શકીએ? મહારાજશ્રી ના, જે જિનાગમોના જ્ઞાતા હોય. પ્રાયશ્ચિત્ત વિધ.1ના ગ્રંથોનું જેમણે અધ્યયન કર્યું હોય; ગુરુપરંપરામાં જેમને પ્રાયશ્ચિત્ત-વિધાન મળ્યું હોય, ગંભીર હોય, ઈન્દ્રિયવિજેતા હોય એવા ગુરુદેવોની સમક્ષ આલોચના (દોષોનું પ્રકટીકરણ) કરવી જોઈએ. પ્રતિમાસ આલોચના કરવી જોઈએ. એ ન બની શકે તો પ્રતિવર્ષ તો અચૂક કરવી જોઈએ. તમારે એવું નહીં વિચારવાનું કે, “ગુરુદેવની પાસે અમે સજજનના રૂપમાં, ધર્માત્માના રૂપમાં જઈએ છીએ અને અમારાં પાપ પ્રકટ કરીશું તો ગુરુદેવ અમારી બાબતમાં શું વિચારશે? અમે એમની દ્રષ્ટિમાંથી નીચે ઊતરી જઈશું.’ જ્ઞાની ગુરુદેવોનું હૃદય છીછરુ નથી હોતું. ગંભીર હોય છે. તેમની દૃષ્ટિ જ્ઞાનવૃષ્ટિ હોય છે. પોતાના પાપોનું પ્રકાશન કરનારાઓને તેઓ ‘ઉત્તમ આત્મા’ સમજે છે. સરળ, નિર્દભ મનુષ્ય જ ગુરુદેવના હૃદયમાં વસી શકે છે. એટલા માટે નિશ્ચિંત, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy