SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ૭૩ શ્રમણજીવન સ્વીકારી લે છે. જ્યારે તે યોગ્યતા સંપન્ન કરે છે ત્યારે ગુરુદેવ એમને આચાર્યપદે સ્થાપિત કરે છે. આચાર્ય શિલસન્ના ગામ-નગરોને પાવન કરતા કરતા મિની રાજધાનીમાં પધારે છે. રુક્મિએ ભવ્ય સ્વાગત કર્યું. આચાર્યદેવનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં રુક્મિને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. ક્લિએ એક દિવસે આચાર્યદિવને કહ્યું: ‘ગુરુદેવ, આપનો ઉપદેશ સાંભળીને મારી મોહનિદ્રા દૂર થઈ છે. સંસારનાં સુખો પ્રત્યે મારા મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. હું ચારિત્ર ધર્મ સ્વીકારવા ઇચ્છા ધરાવું છું. આપ મને ચારિત્રધર્મ પ્રદાન કરવાની કૃપા કરો. જેથી હું એ ધર્મનું પાલન કરીને મારા આત્માને વિશુદ્ધ કરી શકું.” આચાર્યદેવે કહ્યું : “ભદ્ર, તારી ભાવના શુભ છે. આ મનુષ્યજીવનમાં ચારિત્રધર્મનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ ધર્મપુરુષાર્થ છે, તારે મોડું ન કરવું જોઈએ.’ રુમિ સાધ્વી બની ગઈ. સાધ્વી-સંઘમાં રહીને તે જ્ઞાન-ધ્યાનમાં અને તપમાં લીન બની. કેટલાંક વર્ષો વીતી જાય છે. આચાર્યદિવ શિલસત્રાને જ્ઞાન થયું કે, હવે મારો અંતકાળ નજીક છે. તેમણે સમેતશિખરના પહાડ ઉપર જઈને અનશન કરવાનો સંકલ્પ કર્યો. તેમણે તમામ શ્રમણો અને શ્રમણીઓને પોતાની પાસે એકઠાં કર્યાં અને કહ્યું: મારો અંતકાળ નજીક છે. હું સમેતશિખરના પહાડ ઉપર જઈને અનશન કરવા ઈચ્છું છું; જેથી મારું આત્મહિત થાય. તમારામાંથી જે કોઈ શ્રમણ યા શ્રમણીને અનશન કરવા હોય તે મારી સાથે આવી શકે છે. કેટલાય શ્રમણ અને શ્રમણીઓએ અનશન કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. આચાર્યદવ એ સૌની સાથે સમેતશિખરે પહોંચ્યા. અનશન સ્વીકારતા પહેલાં ગુરુદેવની પાસે દરેક શ્રમણ-શ્રમણીને આલોચના કરવાની જિનાજ્ઞા છે. આચાર્યદવ પાસે આવીને પહેલાં શ્રમણોએ પોતાપોતાનું નિવેદન કર્યું. ભૂલોને પ્રગટ કરી. ત્યારબાદ શ્રમણીઓ આવવા લાગી. તેઓ પણ પોતાના પાપોની આલોચના કરવા લાગી. રુક્તિએ આવીને પશ્ચાતાપપૂર્વક પોતાના દોષ પ્રકાશિત કર્યા. આચાર્યદિવ સાંભળતા રહ્યા. જ્યારે રુમિએ કહેવું બંધ કર્યું ત્યારે આચાર્યદિવે કહ્યું “ભકે, શું તેં તારા દોષોની આલોચના કરી લીધી?' મિએ કહ્યું: ‘જી હા, મેં મારા તમામ દોષો આપની સમક્ષ પ્રગટ કરી દીધા છે.” આચાર્યદેવે કહ્યુંઃ “ભદ્ર, યાદ કર, કોઈ દોષ મનમાં રહી તો નથી ગયો ને? એક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy