SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કર પર્વ-પ્રવચનમાળા વચનથી કર્યું હોય કે શરીરથી કર્યું હોય પણ ગુરુદેવને કહી દેવું જોઈએ. હૃદયમાં પાપથી ધૃણા થતી હશે તો જ તમે પાપોનું પ્રકાશન કરી શકશો. હૃદય સરળ અને વિનમ્ર બન્યું હશે તો જ તમે પાપોની આલોચના કરી શકશો. માયાવી હૃદય પાપોની આલોચના કરવા દેતું નથી. અહંકારનો ત્યાગ પણ કરવા દેતું નથી. આ વિષયમાં આપણા ધર્મગ્રંથોમાં એક વાર્તા વાંચી હતી એ કહું છું એક નગર હતું, રાજા હતો. રાણી હતી. રાજા-રાણીને સંતાનમાં એક માત્ર છોકરી હતી. એનું નામ હતું રુક્મિ. રાજાએ રુકિમને ખૂબ સારું શિક્ષણ આપ્યું, કળાઓ શીખવી. રાજાને ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી. તેણે મંત્રીમંડળની સલાહ લીધી. મહામંત્રીએ કહ્યું: “મહારાજ, આપ ચિંતા ન કરો. અમે રાજકુમારીને રાજસિંહાસન ઉપર બેસાડીશું, રુકિમ બુદ્ધિશાળી છે, રાજ્ય કરવા માટે તેનામાં પૂરી યોગ્યતા છે.” રાજાને આશ્વાસન મળ્યું. રાજાએ એક દિવસ કિમને કહ્યું: “બેટી, હવે હું તારા લગ્ન કરવા ઈચ્છું .” રુક્તિએ કહ્યું “પિતાજી, મારી ઈચ્છા લગ્ન કરવાની નથી. હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ.” રાજાનું મન પ્રસન્ન થયું, કારણ કે રાજા જાણતો હતો કે ભવિષ્યમાં અશ્મિ જ રાજાનું સ્થાન લેનારી છે. અને જો તે લગ્ન કરે તો તેને માટે રાજ્ય કરવું શક્ય ન બને.” રાજાનું મૃત્યુ થયું. મંત્રીમંડળે રુક્મિને રાજસિંહાસને સ્થાપિત કરી દીધી. થોડાક જ દિવસોમાં તેણે રાજ્યકના રૂપમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી. તેના બ્રહ્મચર્યની પ્રશંસા તેના રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ થવા લાગી. દૂરદૂરથી લોકો રુમિનાં દર્શન કરવા આવવા લાગ્યા. દૂર દેશનો એક રાજકુમાર હતો; નામ હતું શિલસના. તેણે જ્યારે અમિના બ્રહ્મચર્યની પ્રશંસા સાંભળી ત્યારે રુક્તિના દર્શન માટે તે ચાલી નીકળ્યો; એક્તિના નગરમાં આવી પહોંચ્યો. રાજસભા ભરેલી હતી. રુક્તિ સિંહાસન ઉપર બેઠી હતી. રાજકુમાર શિલસત્રાએ રાજસભામાં પ્રવેશ કર્યો. અને સૌથી પાછળ આસન ઉપર બેસી ગયો. એ એકીટસે રુક્મિને જોઈ રહ્યો હતો. રુમિએ પણ રાજકુમારને જોયો. બંનેની આંખો મળી, બે ક્ષણ પછી રાજકુમાર ઊભો થઈ ગયો. પછી રાજસભામાંથી બહાર નીકળી ગયો. કેટલાંક વર્ષો વીતી જાય છે. રાજકુમાર શિલસત્રા સંસારત્યાગ કરીને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy