SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ૭૧ તમારે લોકોએ જો અજૈન લોકોને જૈનધર્મ પ્રત્યે આદરવાળા બનાવવા હોય તો તમારો અજૈન લોકો સાથે સારો વ્યવહાર હોવો જોઈએ. ઉચિત દાનધર્મનું પાલન હોવું જોઈએ. શાસન પ્રભાવનાના કેટલાક ઉપાયો બતાવું છું. એ રીતે જો તમે લોકો કરો તો સુંદર શાસન પ્રભાવના કરી શકો. શાસન પ્રભાવક મહાન જૈનાચાર્ય તમારા ગામમાં પધારે ત્યારે તેમનું, તથા મહાન પ્રભાવક મુનિરાજ પધારે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવું. મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષોએ સ્વાગત-યાત્રામાં જોડાવું જોઈએ એ દિવસે ગામમાં ગરીબોને ભોજન આપવું જોઈએ, વસ્ત્રો આપવા જોઈએ. સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. મંદિરમાં મહાપૂજાનું આયોજન હોય ત્યારે જે રીતે જૈનોને પ્રભાવના આપો છો એ રીતે જ અજેનોને પણ પ્રભાવના આપવી જોઈએ. જે પ્રભાવના લેવા આવે તેને પ્રેમથી આપવી જોઈએ. પૂર, ભૂકંપ, અકસ્માત વગેરે પ્રસંગોમાં તન-મન-ધનથી સેવાના સહાયકાર્યમાં જોડાઈ જવું જોઈએ. ગામ નગરનાં સાર્વજનિક સેવાકાર્યોમાં સાથ સહકાર આપવા જોઈએ. આપણા ધાર્મિક મહોત્સવોમાં અજેન અગ્રણીઓને નિમંત્રિત કરવા જોઈએ. શાસન પ્રભાવના એ આશયથી કરવાની છે કે સંસારના લોકો આ ધર્મશાસનને પામીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય. ૧૧. હૃદયશુદ્ધિઃ અગિયારમું કર્તવ્ય છે હૃદયશુદ્ધિનું. આ કર્તવ્ય મહત્ત્વપૂર્ણ છે. અશુદ્ધ હૃદયને શુદ્ધ કરવું જ જોઈએ. પાપોથી હૃદય અશુદ્ધ થાય છે. સદ્ગુરુની સમક્ષ પાપોનું પ્રકાશન કરી દેવાથી હૃદય શુદ્ધ થાય છે. સભામાંથી અમારાં પાપ આપની સમક્ષ કહીશું તો આપ અમને નીચ, અધમ સમજશો ને? મહારાજશ્રી : ના, અમે તો તમને ઉત્તમ શ્રેષ્ઠ સમજીશું. કારણ કે તીર્થંકર પરમાત્માઓએ કહ્યું છે : “જે મનુષ્ય પોતાનાં નાનાં-મોટાં પાપોની આલોચના, પ્રકાશન ગુરુની સામે કરે છે તે ધન્ય જ નહીં, ધન્યાતિધન્ય છે. પરંતુ પાપ-પ્રકાશન સરળ હૃદયથી કરવું જોઈએ. એક નાનું બાળક જે રીતે માની સાથે કશું જ છુપાવ્યા સિવાય બધું કહી દે છે, એ રીતે પાપ કહી દેવાં જોઈએ. પાપ મનથી કર્યું હોય, - Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy