SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પર્વ-પ્રવચનમાળા સમૃદ્ધ ગૃહસ્થો માટે છે. ૭. રાત્રિ જાગરણ : સાતમું કર્તવ્ય છે રાત્રિ જાગરણનું. રાત્રિના સમયે પરમાત્માની ભક્તિ કરવી. જોઈએ. આ દૈનિક કર્તવ્ય નથી, વાર્ષિક કર્તવ્ય છે. વર્ષમાં બે-ચાર વાર આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કોઈ તીર્થ હોય, શાન્ત સુંદર જગા હોય ત્યાં યાત્રીઓને એકત્ર કરીને વાજિંત્રો સાથે મધુર સ્વરમાં પરમાત્માનાં ગીતો ગાવાં જોઈએ. એ રીતે તીર્થંકર પરમાત્માનો કલ્યાણ-દિન હોય, ગુરુનો સ્વર્ગારોહણ દિન હોય, તો રાત્રિના સમયે પરમાત્માનાં ગીત ગાવાં જોઈએ, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. પહેલી વાત તો એ છે કે રાત્રિમાં ખાવું-પીવું નહીં. સભામાંથી કેટલાક લોકો રાત્રે ભાંગ પીએ છે અને જોરજોરથી ગાય છે. મહારાજશ્રી આ ખોટું છે. એટલા માટે તો કહું છું કે રાત્રે ખાવું-પીવું ન જોઈએ. બીજી વાત છે-લાઉડસ્પીકરની. દશ વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ થઈ જવું જોઈએ. લોકોની શાન્તિનો ભંગ ન થવો જોઈએ. દુનિયાને સંભળાવવા માટે રાત્રિજાગરણ કરવાનું નથી. પરમાત્માની ભક્તિ માટે ગાવાનું છે. શાન્તિથી મધુર સ્વરોમાં પરમાત્મગીત ગાવાં જોઈએ. પરમાત્મપ્રીતિ વધારવા માટે રાત્રિ જાગરણ કરવાનું હોય છે. ૮. શ્રુતભક્તિઃ આઠમું વાર્ષિક કર્તવ્ય છે શ્રુતભક્તિનું શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન. શાસ્ત્રજ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. ભક્તિના કેટલાક પ્રકારો બતાવું છું. * ઉચ્ચ આસન પર-ટેબલ ઉપર આગમગ્રંથોને સ્થાપિત કરીને શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ દ્વારા પૂજા કરવી જોઈએ. સુગંધિત પુષ્પોથી આગમગ્રંથોની પૂજા કરવી જોઈએ. ધૂપ અને દીપથી પૂજા કરવી જોઈએ. ચાંદી, સુવર્ણ આદિ અર્પણ કરવાં જોઈએ. * શ્રુતજ્ઞાન પ્રત્યે પ્રેમ અને આદર વધારવો જોઈએ. * આર્થિક શક્તિ હોય તો ધર્મગ્રંથોને શ્રેષ્ઠ કાગળ ઉપર લખાવવા જોઈએ. સોના, અગર ચાંદીની શાહીથી લખાવવાં જોઈએ અને જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રાખવા જોઈએ. * પ્રતિવર્ષ એક વાર મા બે વાર જ્ઞાનભંડારની અભરાઈઓ ઉપરથી શાસ્ત્રોને બહાર કાઢીને સાફ કરવાં જોઈએ. સફાઈ કરાવવી જોઈએ. * સાધુ-સાધ્વીના અધ્યયનમાં યોગદાન આપવું જોઈએ. તેમને પુસ્તકો, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy