SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) નોટબુકો..આદિ આપવાં જોઈએ. જો ભણાવનાર પંડિત હોય તો તેમને પુરસ્કાર આપવો જોઈએ, બાલ્યકાળમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી દેવગિરિમાં ષડ્રદર્શનનું અધ્યયન કરવા ગયા હતા ત્યારે દેવશી શાહ અને તેમની ધર્મપત્ની જયબાઈએ ભણાવનાર પંડિતને પૂરો ખર્ચ આપ્યો હતો. * પ્રતિદિન નવું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને પ્રાપ્ત કરેલું પુરાણું જ્ઞાન ભૂલવું ન જોઈએ. રાજા કુમારપાળ, મહામંત્રી વસ્તુપાળ, મહામંત્રી પેથડશાહ વગેરે મહાનું શ્રાવકોની શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરવી જોઈએ. * જિનશાસનનો આધાર શ્રુતજ્ઞાન છે. એ વાત સદેવ યાદ રાખવી જોઈએ. સુંદર પુસ્તકો છપાવીને જૈન-અજૈન લોકોને આપવાં જોઈએ. * દેશમાં અને વિદેશોમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ વધ્યું છે. લોકો પુસ્તકો વાંચે છે. જો તેમને તેમની ભાષામાં જૈનધર્મનું સાહિત્ય મળે તો તેઓ અવશ્ય વાંચશે. આપણા દેશમાં ૩પ કરોડથી પણ વધુ લોકો હિન્દીભાષી છે. હિન્દી ભાષામાં જૈનધર્મનું વિપુલ સાહિત્ય છપાવું જોઈએ. એવા સાહિત્યના પ્રકાશનમાં તમારે લોકોએ લાખો રૂપિયા ખરચવા જોઈએ. * અંગ્રેજી ભાષામાં પણ જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં છાપવું જોઈએ. અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા છે. દુનિયાના તમામ દેશોમાં પ્રાયઃ અંગ્રેજી ભાષા જાણનારા મળશે. શ્રુતજ્ઞાનનો પ્રસાર-પ્રચાર પણ મૃતભક્તિનો જ એક પ્રકાર છે. આ વિષયમાં એક સાવધાની રાખવાની છે. માની લો કે તમારી પાસે કેટલીક ચોપડીઓ છે. તમે ઘરમાં રાખવા માગતા નથી. કારણ ગમે તે હોય, પસ્તીમાં પુસ્તકો વેચવાં નહીં. તમારા ગામની લાઈબ્રેરીમાં ભેટ આપવાં અથવા ઉપાશ્રયમાં-જ્ઞાનભંડારમાં આપી દેવાં. પુસ્તકોને પસ્તીમાં વેચવાથી દોષ લાગે છે. - પુસ્તકોને બાળવાં નહીં. - પુસ્તકોને પટકવાં નહીં. - પુસ્તકોની ઉપર બેસવું નહી. - કોઈ શ્રુતજ્ઞાન મેળવતું હોય તો અન્તરાય કરવો નહીં. એટલે કે ખલેલ પહોંચાડવી નહીં. - જ્ઞાન આપનાર ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખવો. - “જ્ઞાનપંચમી' તપની આરાધના કરવી. વાસ્તવમાં જોઈએ તો શ્રુતભક્તિ વાર્ષિક જ નહીં, દૈનિક કર્તવ્ય છે. દરરોજ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy